SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુઓએ સ્નાન કરવાનું હોતું નથી. અવરજવરને કારણે અને સૂવાબેસવાને કારણે તેમના શરીર ઉપર મેલ ચોંટી જાય અને વસ્ત્રો મેલાં થાય એ સ્વાભાવિક છે. એવે વખતે સાધુઓએ સ્નાન વગેરેની ઇચ્છા ન કરવી જોઈએ. શરીર ઉપરના કે વસ્ત્રો ઉપરના મેલને સહન કરી લેવો તે મલ પરીષહ છે. (૧૯) સત્કાપુરસ્કાર (સક્કાર પુરસ્કાર) પરીષહઃ ત્યાગી સાધુ-સાધ્વીઓ સામાન્ય રીતે વંદનીય ગણાય છે. તેમ છતાં કોઈ વ્યક્તિ પોતાને વંદન કે નમસ્કાર ન કરે અથવા કોઈ સ્થળે પોતાનો સરખો આદરસત્કાર ન થયો હોય તો તેથી સાધુઓએ મનમાં જરા પણ માઠું લગાડવું જોઈએ નહિ. પોતાનો આદર-સત્કાર બરાબર થવો જોઈએ એવી અપેક્ષા તેઓએ રાખવી જોઈએ નહિ. વખતોવખત અનેક લોકો વંદન કરતા હોય તો તેથી પોતાના મનમાં પોતે કેવી પરમ વંદનીય વ્યક્તિ છે એવો ગર્વ પણ આપવો જોઈએ નહિ. અનેક શ્રીમંતો અને સત્તાધીશો પોતાને વંદન કરવા આવવાના હોય ત્યારે પોતાનાં વાળ, વસ્ત્ર, શરીર વગેરેની શોભા વધારવાની ઈચ્છા મનમાં ન સેવવી જોઈએ. પોતાની ક્યાંક પ્રશંસા થતી હોય તો તે વખતે તે ગમવાનો ભાવ મનમાં ન આણવો જોઈએ. (૨૦) પ્રજ્ઞા પરીષહઃ - સાધુ-સંતોએ ત્યાગ અને સંયમનો માર્ગ સ્વીકાર્યો હોવાથી મૃત સાહિત્યના સ્વાધ્યાય માટે તેમને વિશેષ અવકાશ રહે છે. કેટલાંક સાધુ-સાધ્વીઓ નાની ઉંમરમાં ઘણું જ્ઞાન સંપાદિત કરી લે છે. એવે વખતે મોટી ઉંમરમાં કોઈ વ્યક્તિ પોતાની પાસે ભણવા માટે કે શંકા-સમાધાન માટે આવે ત્યારે પોતે કેવા મોટા જ્ઞાની છે એવો ગર્વ મનમાં આવવા દેવો નહિ. પૂર્વે થઈ ગયેલાં તીર્થકરો, કેવલી ભગવંતો કે મહાન આચાર્યો પાસે તો પોતે કશી જ વિસાતમાં નથી એમ ચિંતવવું જોઈએ. જ્ઞાન તો મહાસાગર જેવું છે અને તેમાં પોતાનું જ્ઞાન તો માત્ર બિન્દુ સમાન છે એમ સમજવું જોઈએ. પોતે જે કંઈ જ્ઞાન ધરાવે છે તે સર્વજ્ઞ-કથિત અથવા તીર્થંકર ભગવાને કહેલું જ છે. એમાં પોતાની માલિકીનું કશું જ નથી એમ વિચારવું જોઈએ. પોતાની પાસે શાસ્ત્રજ્ઞાન વિશેષ હોય એટલે પોતાની પાસે શંકા-સમાધાન માટે અનેક વ્યક્તિઓ આવે અને તેથી પોતાને જોઈએ તેટલો આરામનો સમય ન પણ રહે એવા કષ્ટદાયક પ્રસંગે પણ “હું ભયો ન હોત તો કેટલું સારું થાત” કે “હું મૂર્ખ હોત તો આવી કોઈ તકલીફ ન થાત” – એવો વિપરીત ભાવ પણ મનમાં આવવા દેવો ન જોઈએ. પોતે જે જાણતા હોય તેનાથી વિરુદ્ધ પ્રકારની દલીલ થાય તો હું જ સાચો છું અને તમે ખોટા છો' એવો ઉગ્ર આગ્રહ કે અભિનિવેશ પણ મનમાં રાખવો ન પરીષહ રહ ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy