SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચેઝ નિયમિનીરૂપ કાયગુપ્તિ કહેવાય છે. આથી જેમ જેમ કાયપ્તિનો અભ્યાસ થતો જાય તેમ તેમ ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખતે દઢ સમતા ધારણ કરવાની શક્તિ આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હોય છે તેમને તો પોતાને ઉપસર્ગ થયો હોવા છતાં તે થયાનો ખ્યાલ પણ નથી આવતો. ઉપસર્ગ એમને માટે ઉપસર્ગ રહેતો નથી. શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં કહ્યું છે : આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની. મુખ્યપણે તો વર્તે દેહપયત જો, ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.’ ઉપસર્ગ અને કાયાક્લેશ નામની તપશ્ચર્ય વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી પડેલું કષ્ટ હોય છે. કાયક્લેશ નામની તપશ્ચર્યામાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કાયક્લેશની ગણના બાહ્ય તપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ-સંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. શરીર જકડાઈ જાય ત્યાં સુધી એક આસને બેસી રહેવું કે ઊભા રહેવું, ખીલા પર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથપગે બેડીઓ પહેરી રાખવી, શરીરે ચાબખાનો માર મારવો ઈત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાયલેશના પ્રકારની ગણાય છે. એથી કર્મની નિર્જરા થાય છે, પરંતુ એમાં સાધકો સામેથી હર્ષ કે સ્વેચ્છાપૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ. પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સઘસહન કરી શકાય એવો હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુનો ડર નથી હોતો. ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાત્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર જેવા તીર્થકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગોથી ચલિત થયા નથી. તીર્થકરો ઉપસર્ગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કારને યોગ્ય હોય છે. એટલા માટે કહેવાયું છે : रागदोसकसाह इंदियाणि अ पंच वि। परिसहे उपसग्गे नामयंता नमोऽरिहा ॥ રિાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરીષહ અને ઉપસર્ગને નમાવનાર અરિહંતોને નમસ્કાર હો.] રરર જન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy