SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વજનો તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઈત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે, વિવિધ પ્રકારની ભોજનસામગ્રી માટે લલચાવવામાં આવે, રુદન વગેરે કરી આર્ટ્સ બનાવવા કોશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ, તેવી ભોગસામગ્રી સ્વીકારવા વશ બની જાય છે અને પરિણામે પોતાની સાધનામાંથી શ્રુત થઈ જાય છે. જે સાચા મુમુક્ષુ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે “સૂત્રકતાંગમાં કહ્યું છે : संखाय पेसलं धम्म િિ નિવૃછે. उवसग्गे नियामित्ता आमोक्खाए परिव्वएज्जासि ॥ ઉપસર્ગથી અસહ્ય પીડાનો, અશાતનો અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે ત્યારે ચિત્તનું સ્વસ્થ રહેવું એ ઘણી અઘરી વાત છે. અશાતા વખતે અશાતા કરનાર પ્રત્યે ક્રોધ, વેરભાવ, તેનો નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગો અનુભવાય છે, અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જો સમતા, માધ્યસ્થતા અને સ્વસ્થતા રહ્યા કરે તો કર્મની ભારે નિર્જરા થાય અને નવું કર્મ બંધાય નહિ પરંતુ એવી સ્થિતિએ તો કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. જ્ઞાનસારના એક અષ્ટકમાં ઉપાધ્યાય વશેવિજયજી કહે છે: विषं विषस्य करनेध वह्निरेव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न मिठ ॥ વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે; એ સાચું છે, કારણ કે ભવથી સંસરથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તોપણ ભય હોતો નથી.] મન, વચન, કાયા એ ત્રણ દ્વારા શુભાશુભ કર્મો બંધાય છે. ઓછાં કર્મો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું મન-ગુપ્તિ, વચનગુપ્તિ અને કાય-ગુપ્તિ એ ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું હોય છે. એમાં કાયપ્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ ૧. ચેષ્ય – નિવૃત્તિરૂપ કાયગુપ્તિ અને ૨. યથાસૂત્ર ચેઝ – નિયમિનીરૂપ કાયગુપ્તિ. ઘોર ઉપસર્ગ વગેરે થવા છતાં જે મહાત્માઓ પોતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ – નિવૃત્તિરૂપ કાલગુપ્તિ છે. કેવલી ભગવંતો ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધ કરે છે તે પણ ચેઝનિવૃત્તિરૂપ કાલગુપ્તિ કહેવાય છે.) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત, સંયમિત, હલનચલન – પ્રતિસેવના આ ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy