SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આપનું લેખન કાર્ય અવિરત ચાલ્યા કરે છે તેનું રહસ્ય શું છે ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ રોજ સામાયિક કરે છે અને સામાયિકમાં લેખનકાર્ય કરે છે. તેમની આ પ્રકારની જ્ઞાનયજ્ઞ સમાન જ્ઞાનસાધના જીવનના અંત સુધી ચાલી રહી. પ્રેરક-પ્રબુદ્ધ વ્યક્તિત્વ : જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ તેમના જીવનનું એક અંગ હતું. આ સમારોહના સ્થળની પસંદગી તેઓ આગવી રીતે કરતા. સામાન્ય રીતે વિદ્વાનો આવા સમારોહ ઘરઆંગણે કરતા હોય છે અને પાંચ-પચ્ચીસ પરિચિતોને બોલાવી પોતાની પ્રશંસા અને માલ્યારોપણની વિધિ કરાવી લેતા હોય છે. કેટલીક વાર તો આવા પ્રસંગોના ફોટા છાપામાં છપાવી આત્મસંતોષ લેતા હોય છે. પરંતુ રમણભાઈમાં આમાંની એક પણ પ્રવૃત્તિ જોવા મળતી ન હતી. તેઓ આવી પ્રવૃત્તિથી સદા અળગા રહેતા અને સમારોહનું સ્થળ ખૂબ જ કુશળતાપૂર્વક પસંદ કરતા હતા. તેઓ ખાસ કરીને સુદૂર, રમણીય-મનોહર તીર્થ અને જ્યાં અન્ય કોઈ પણ પ્રકારના અવરોધ ન હોય તેવું સ્થળ પસંદ કરતા હતા. જેથી આવનાર બધા જ સંશોધકો, જ્ઞિાસુઓ સંપૂર્ણપણે સાહિત્યનો-સંશોધનનો આસ્વાદ માણી શકે. આથી તેમના આયોજિત સમારોહમાં બધા જ હોંશે હોંશે જોડાતા અને તેમના નેતત્વ હેઠળ આનંદની અનુભૂતિ કરતા હતા. આવા સમારોહમાં જૈનધર્મના ઊંચા ગજાના વિદ્વાનોને આમંત્રિત કરતા, સાથે સાથે નવોદિત યુવાન વિદ્વાનોને પણ પ્રોત્સાહિત કરી જુદા જુદ્ધ વિષયો ઉપર લેખ લખવાની પ્રેરણા આપતા. | સંશોધન લેખ વાંચવા માટે બધાને પૂરતો સમય ફાળવતા અને કોઈ સંશોધકનો લેખ નબળો હોય તોપણ ક્યારેય આલોચના કરી લેખકને હતોત્સાહી કરતા નહીં, પરંતુ તે લેખકને યોગ્ય માર્ગદર્શન આપી આગળ વધવા માટે પ્રેરણા આપતા. તેમની આવી વિશિષ્ટ શૈલીને કારણે અનેક નવોદિત વિદ્વાનોને તક મળી હતી અને તેને કારણે તેઓ આજે ખૂબ જ આગળ વધી શક્યા છે. એક વખત હું જૈન સાહિત્ય સમારોહમાં ઉપસ્થિત હતો અને એક બેઠકનું અધ્યક્ષસ્થાન મને સોંપવામાં આવ્યું હતું. તે સમયે વંચાયેલા લેખો વિશેનું મારા અધ્યક્ષીય ભાષણમાં વિસ્તૃત ચર્ચા કરતાં કેટલાક લેખોની તીખી આલોચના અને કેટલાંક સારા લેખોની પ્રશંસા કરી હતી. આથી કેટલાક વિદ્વાનો નારાજ પણ થયા હતા. તે સમયે રમણભાઈ શાંત ચિત્તે સાંભળતા રહ્યા પરંતુ બેઠક સમાપ્ત થયા બાદ ભોજન પછી તેઓએ મને પોતાના રૂમમાં બોલાવી ખૂબ જ પ્રેમપૂર્વક બેસાડ્યો અને જણાવ્યું કે આજકાલ જૈન વિદ્વાનોની સંખ્યા ઓછી થઈ રહી છે તેમાંય નવા યુવાન વિદ્વાનો આ વિષય પરત્વે મુશ્કેલીથી આકર્ષિત થતા હોય છે. આવી २२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy