SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આવા અભ્યાખ્યાનની ભોગ થઈ પડી હતી અને ઘણું દુઃખ ભોગવ્યા પછી નિર્દોષ પુરવાર થઈ હતી. મેતારજ મુનિ ઉપર ચોરીનો આરોપ આવ્યો હતો, તે વહેમશંકાથી આવ્યો હતો, પરંતુ સત્ય ઉચ્ચારવા જતાં જીવહિંસા થશે એવા કરુણાભાવથી એમણે મારણાન્તિક કષ્ટ સહન કરી લીધું હતું. સમયે સમયે કેટલાય સંત-મહાત્માઓ ઉપર જો અભ્યાખ્યાન થતાં હોય છે, તો વ્યવહારમાં સામાન્ય મનુષ્યોની તો વાત જ શી ? શાસ્ત્રકારોએ જે અઢાર પ્રકારનાં પાપસ્થાનક ગણાવ્યાં છે, એમાં તેરમા પાપસ્થાનક તરીકે અભ્યાખ્યાનને ગણાવ્યું છે. અભ્યાખ્યાનમાં બીજા ઉપર ખોટો આરોપ મૂકવામાં આવે છે, એટલે એમાં મૃષાવાદનો દોષ આવે છે. આમ છતાં મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકમાં એની ગણના ન કરતાં અભ્યાખ્યાનને એક સ્વતંત્ર પાપસ્થાનક તરીકે શાસ્ત્રકારોએ ગણાવ્યું છે, કારણ કે એને જુદુ ગણાવવાથી જ એમાં રહેલા પાપકર્મના ભારેખમપણાનો માણસને સાચો ખ્યાલ આવે. મૃષાવાદમાં નાનાં નાનાં, નજીવાં, નિહેતુક, અજાણતા ઉચ્ચારાતાં અસત્યોથી માંડીને ભારે મોટાં જૂઠાણાં સુધીનું વિશાળ ક્ષેત્ર હોય છે અને એમાં ઘણીબધી તરતમતા હોય છે. અભ્યાખ્યાનમાં સહેતુક, દ્વેષપૂર્ણ, બીજાની જિંદગી બરબાદ કરી નાખે એવા એક જુદા જ પ્રકારના ભારે અસત્યનું કથન રહેલું હોય છે. વળી એની સાથે ક્રોધાદિ પ્રકારનાં ભારે કષાયો પણ સંલગ્ન રહેલાં હોય છે. એટલે આવા ભારે પાપકર્મને જુદું બતાવવાની આવશ્યકતા રહેલી છે. અઢાર પાપસ્થાનકોમાં કેટલાંક પાપ બોલવાથી બંધાય છે. વચનયોગનાં એ પાપોમાં મૃષાવાદ, અભ્યાખ્યાન, પૈન્ય, પરપરિવાદ વગેરે મુખ્ય ગણાવી શકાય. ક્રોધ, કલબ, માયામૃષાવાદમાં પણ વચનયોગ હોય છે. હિંસાદિ અન્ય પાપોમાં કાયાના કે મનના યોગ સાથે ક્યારેક વચનયોગ પણ હોઈ શકે છે. અસંયમિત વાણી પાપ બાંધવામાં કેવું પ્રબળ નિમિત્ત બની જાય છે તે આવા પ્રસંગે આપણને જોવા મળે છે. અભ્યાખ્યાન, પશૂન્ય અને પરપરિવાદ એ નજીક નજીકનાં - એકબીજાને મળતાં આવે એવાં પાપો છે. એમ છતાં તે દરેકને સ્વતંત્ર પાપ તરીકે ઓળખવામાં આવ્યું છે. પૈશૂન્ય એટલે ચાડી ખાવી, ગુપ્ત વાત જાહેર કરી દેવી. તે અસત્ય હોય કે ન પણ હોય. પરપરિવાદ એટલે નિંદા કરવી, એમાં પણ અસત્ય હોય કે ન પણ હોય. પરંતુ અભ્યાખ્યાનમાં સ્પષ્ટપણે અસત્ય જ હોય. આ અસત્યનું દોષારોપણ બીજાને ઉતારી પાડવા માટે કે વગોવવા માટે જ કરવામાં આવ્યું હોય છે. એટલા માટે કે પૈશૂન્ય કે પરપરિવાદ કરતાં અભ્યાખ્યાનનું પાપ વધારે ભયંકર મનાય છે. ૧૯૮ જેન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy