SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અભ્યાખ્યાન' શબ્દ અભિ + આખ્યાન ઉપરથી આવ્યો છે. આખ્યાન એટલે બોલવું, ભાષણ કરવું, વચન ઉચ્ચારવું ઈત્યાદિ. “અભિ ઉપસર્ગ છે. વિશેષપણે', ભારપૂર્વક', “સામેથી', “પ્રતિ’ જેવા અર્થમાં તે પ્રયોજાય છે. સંસ્કૃતમાં “અભિખ્યાન શબ્દ પણ છે. એનો અર્થ કીર્તિ થાય છે.) ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશની ચકામાં ‘અભ્યાખ્યાનની વ્યાખ્યા બાંધતાં કહેવાયું છેઃ મમુવેન બ્રાધ્યાને રોષાવિદ્ ગીરધ્યાનમ્ | અભિમુખેન એટલે સામેથી, અભ્યાખ્યાન એટલે સામેથી દોષોનું આવિષ્કરણ કરવું. સ્થાનાંગ સૂત્રના પ્રથમ અધ્યયન (૪૮-૪૯)ની ટીકામાં અભ્યાખ્યાનની વ્યાખ્યા ટીકાકારે આ પ્રમાણે આપી છે: સ્થાસ્થાનું પ્રમોષારોપાનું | અભ્યાખ્યાન એટલે પ્રગટ રીતે ન હોય તેવા દોષોનું આરોપણ કરવું. એવી જ રીતે, આ જ અર્થમાં અભ્યાખ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે અપાય છે : क्रोधमानमायालोभादिभिष्ट परेप्वविद्यमान दोषोद्भावनमभ्याख्यानम् । ક્રિોધ, માન, માયા, અને લોભને કારણે બીજા ઉપર અવિદ્યમાન – ન હોય તેવા – દોષોનો આરોપ કરવો તેને અભ્યાખ્યાન કહે છે.] हिंसादेः कर्तुविरस्य विरताविरतस्य वायमरय कर्तेरयिधानम् अभ्याख्यानम् । [હિંસાદિ કાર્ય કરીને હિંસાથી વિરક્ત એવા મુનિ અથવા શ્રાવકને માથે આ દોષ લગાવીને ‘આ કાર્ય એમણે કર્યું છે એમ કહેવું તે “અભ્યાખ્યાન' છે.] અભ્યાખ્યાનની નીચે પ્રમાણે એવી જ બીજી વ્યાખ્યા આપવામાં આવે છે : अभ्याख्यानं असद् अभियोगः । અભિયોગ' શબ્દના આક્રમણ કરવું, સંઘર્ષ કરવો, આક્ષેપ મૂકવો, ન્યાયાલયમાં ફરિયાદ કરવી એવા જુદા જુદા અર્થ થાય છે. અહીં અસદુ એટલે ખોટો અને અભિયોગ એટલે આક્ષેપ કરવો એવો અર્થ લેવાનો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અઢાર પાપસ્થાનકની સક્ઝાયમાં અભ્યાખ્યાન એટલે પરનાં અછતાં આળ ઉચ્ચારવાં એવો અર્થ ભાષામાં સમજાવ્યો છે. જુઓ : પાપસ્થાનક તે તેરમું છાંડીએ અભ્યાખ્યાન દુરંતો છે; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુખ પામે તે અનંતો જી. અભ્યાખ્યાનની પ્રવૃત્તિ પરાપૂર્વથી ચાલતી આવી છે. મહાસતી સીતા, મહાસતી દમયંતી, મહાસતી અંજના, મહાસતી કલાવતી, વગેરે કેટલીક સતીઓ અભ્યાખ્યાન જ ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy