SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે તે વધકોપદેશ. ખેડૂતને ખેતી માટે જમીન, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે અંશે ઉપદેશ આપવો તે આરંભક ઉપદેશ. વર્તમાન સમયમાં કોઈક અમુક વ્યવસાય માટે પ્રેરણા કે ભલામણ કરવી તે પણ આરંભક ઉપદેશ છે. કોઈને પ્રશ્ન થાય કે તો પછી શું કોઈને સાચી સલાહ આપવી ન જોઇએ? એનો ઉત્તર એ છે કે વ્યક્તિ ધર્મતત્ત્વમાં કેટલી શ્રદ્ધા અને સમજણ ધરાવે છે અને એનું લક્ષ્ય શું છે એના ઉપર સલાહ આપવાનો આધાર રહે છે. વ્રત કે નિયમ લેવાથી માણસ આવા અનર્થદંડથી બચી વ્યવહારમાં અઢતી માણસોમાં વિવિધ પ્રકારની વાત થાય છે અને માગેલી કે વણમાગી સલાહ પણ અપાય છે. તોપણ તેઓને અનર્થદડનો દોષ તો લાગે જ છે. એ વખતે સંભવ છે કે વ્યક્તિનો આશય પાપોપદેશનો ન હોય. વળી પાપની આવી સૂક્ષ્મ વાત એની સમજમાં પણ ન આવી હોય. પરંતુ જેઓ વ્રતધારી શ્રાવકો છે અથવા વ્રતધારી થવા ઈચ્છે છે અને લક્ષ્મપૂર્વક સમ્યફ શ્રદ્ધા ધરાવે છે એવી વ્યક્તિ જો સમજતી હોય કે અમુક કાર્ય કરવામાં કે સલાહ આપવામાં અકારણ પોતાને હિંસાની અનુમોદનાનો દોષ લાગશે તો તેવી વ્યક્તિએ વગર લેવેદેવે આવાં મફતનાં પાપ ન બાંધવાં જોઈએ. આમાં મહત્ત્વની વાત તે સંયમની અને જયણાની છે. જેઓ પોતાની જાતને સંયમમાં રાખવા ઇચ્છે છે તેઓએ જયાણાપૂર્વકનું ગૃહસ્થજીવન જીવવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે આવું વ્રત ધારણ કરનારને સમાજમાં વેદિયા ગણવામાં આવે અને એમનો ઉપહાસ કરવામાં આવે. પરંતુ તેની ફિકર ન કરતાં પોતાની જાતને સંયમમાં રાખવી હિતાવહ છે. અનર્થદડનો ત્રીજો પ્રકાર છે હિં×પ્રદાન. હિંસક શસ્ત્રો કે સાધનો, છરી, ચખુ, કાતર, તલવાર, ભાલો, દાંડો, હથોડી, કુહાડી, ચાબુક, બાંધવા માટેની દોરી, ઝેર, માંકડ-મચ્છર મારવાની ઝેરી દવા વગેરે બીજાને આપવાં તે હિંસાધન અનર્થદંડ વંદિત્તસૂત્રની ગાથામાં કહ્યું છે: सत्थगिमुसलजंतगणकंठे मंतमूलभेसज्जे। दिन्ने दवाविए एवा पडिक्कमे देसि सव्वं ॥ શિસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ (જડીબુટ્ટી) અને ભેષજ (ઔષધ) એ પાપારંભવાળી વસ્તુઓ મેં આપી હોય અથવા બીજા પાસે અપાવી હોય તો તે દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) પાપને હું પ્રતિક્રમું છું] કોઈ પણ સારું કાર્ય માણસ કરે તો તેને જોઈ બીજા તેમ કરવા પ્રેરાય છે. તેવી રીતે કોઈ માણસ અશુભ કાર્યનો આરંભ કરે તો તેને જોઈ બીજા પણ તેમ અનર્થડવિરમણ - ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy