SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે જે શબ્દાદિ વિષયો, પદ્યર્થો કે વ્યક્તિઓ પોતાને પ્રિય નથી તેનો પોતાને વિયોગ રહે તે સારું એવું મનમાં ચિંતવવું. એવી જ રીતે ઈષ્ટ સંયોગ વિશે ચિંતવવું. રોગચિંતા આર્તધ્યાન અથવા વેદનાજન્ય આર્તધ્યાનમાં શરીરમાં વ્યાધિ થયો હોય તો તેનો વિયોગ થાય તે માટેની ચિંતા. રોગ, વેદના, શારીરિક પ્રતિકૂળતા કે અસ્વસ્થતા ઈત્યાદિ વખતે તે જલદી જાય અને જલદી સાજા થઈ જવાય, ફરીથી એવી વેદના ન થાય તે માટેની ચિન્તા તે આ પ્રકારનું આર્તધ્યાન છે. વસ્તુતઃ એવે વખતે સુજ્ઞ જીવે એમ વિચારવું જોઈએ કે પોતાનાં પૂર્વબદ્ધ અશાતાવેદનીય કર્મના ઉદયને કારણે આમ થયું છે કે જેથી અસ્વસ્થતા ઓછી થઈ જાય. વળી એ વખતે ચિત્ત શાન્ત રાખી એને સ્વાધ્યાયાદિ પરોવી દેવાથી પણ આર્તધ્યાન ઘટે છે. અઝશૌચ એટલે હવે પછીની ચિન્તા. આ પ્રકારના આર્તધ્યાનને નિદાન આર્તધ્યાન પણ કહે છે. પોતાની તપશ્ચર્યાના પ્રભાવે આવતા ભવમાં પોતાને ચક્રવર્તીપણું, રાજ્યષ અથવા દેવગતિ ઇત્યાદિ મળે એવો સંકલ્પ તે નિદાન નિયાણું) કહેવાય છે. નિદાન એ પણ આર્તધ્યાનનો એક પ્રકાર છે. અશુભ નિયાણું પણ બંધાય છે. આવાં બધાં આર્તધ્યાન તે અનર્થદંડ છે. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધારે ભયંકર છે. ક્રોધાદિ કષાયથી બીજાને મારવાની, મારી નાખવાની, કોઈકની સંપત્તિને નુકસાન પહોંચાડવાની, આગ લાડવાની ઈચ્છા કે એવા અવનવા ભયંકર વિચારો મનમાં ઊઠે તે રૌદ્રધ્યાન કહેવાય. એના પણ ચાર પ્રકાર છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, ૩) સ્તેયાનુબંધી (૪) રક્ષાનુબંધી. હિંસક વિચારો આવવા, અસત્ય બોલવું, આળ ચડાવવું, નિંદા કરવી, વિશ્વાસઘાતી વચનો બોલવાં, ચોરી લે લૂંટના વિચારો કરવા, પોતાના માલમિલકતના રક્ષણ માટે બીજાને નરસાન પહોંચાડવાના વિચારો કરવા તે તમામ રીદ્રધ્યાન છે, અનર્થદંડ છે. અનર્થદંડનો બીજો પ્રકાર છે પાપોપદેશ એટલે કે પાપ કરવા માટે કહેવું અથવા તે માટે પ્રેરણા કરવી. “રાજવાતિકમાં પાપોદેશના (૧) hશવાણિજ્યા, (૨) તિર્યંમ્ વાણિજ્ય, (૩) વધક ઉપદેશ અને () આરંભક ઉપદેશ એમ ચાર પ્રકાર બતાવ્યા છે. અમુક પ્રદેશમાં દાસ-દાસી, નોકર-ચાકરના ભાવ વધારે છે. ત્યાં એને મોકલો. એવા પાપોપદેશને ક્લેશવાણિજ્યા કહે છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાંના અમુક જગ્યાએ ભાવ વધારે છે માટે ત્યાં વેચવાં સારાં એ તિર્થંગ વાણિજ્યા પાપોપદેશ. વધક એટલે શિકારી. એને સારા શિકાર માટે જગ્યા બતાવવી, માખી, મચ્છર, જીવાત વગેરે મારવાના ઉપાયો બતાવવા, પેસ્ટ કંટ્રોલ માટે ભલામણ કરવી ૧૮૬ - જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy