SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કે સામાજિક અપજશને લીધે ચોરી કરતાં નથી તેના કરતાં પકડાયા વગર ચોરી કરવાની સરસ તક મળી હોય છતાં માણસ ચોરી ન કરે તે વધુ ચડિયાતો છે. અંતરમાં ત્યાગ અને નિઃસ્પૃહીપણું સતત જાગૃત હોય તો જ આમ બની શકે છે. ધર્મશ્રદ્ધાથી એવા ગુણો વધુ દૃઢ થાય છે. ભગવાન મહાવીરે તો કહ્યું છે કે સાધુઓએ તો આ વ્રત એટલી હદ સુધી પાળવું જોઈએ કે પોતે રસ્તામાં વિહાર કરતા ચાલ્યા જતા હોય અને તે વખતે દાંતમાં કંઈ કચરો ભરાયો હોય અને દુઃખવા આવે તે વખતે દંતશોધન તરીકે ઝાડ પરથી તોડીને કે નીચે પડેલી વીણીને નાની સરખી ડાંખળી લઈને દાંતખોતરણી તરીકે ઉપયોગ કરે તોપણ અદત્તાદાન વિરમણ વ્રત દૂષિત થાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે विवज्जणं । दंतसोहणमाईस्स अदत्तस्स अणवज्जेसाणिज्जतस्स गिण्हाणा अवि दुक्करं ॥ કે [દાંત ખોતરવાની સળી પણ અદત્ત હોય તો ન લેવી જોઈએ. આપેલી વસ્તુ પણ અનવદ્ય અને એષણીય હોય તો જ ગ્રહણ કરવાનું વ્રત ઘણું કઠિન છે.] અદત્તાદાન વિરમણની ભાવનાને જૈન ધર્મ એટલી ઊંચાઈએ લઈ જાય છે પ્રશ્ન વ્યાકરણ'માં તો ત્યાં સુધી કહ્યું છે કે असंविभागी, ઞસંહછું...ગપ્પમાળમોર્ફ...સે તારિક્ષણ નારાહપુ વર્મિબં। જે અસંવિગભાગી છે, અસંગ્રહરુચિ છે, જે અપ્રમાણભોગી છે તે આ અદત્તાદાન વિરમણ વ્રતની સાચી આરાધના કરી શકતો નથી. વળી કહ્યું છે : વિમાસીને સંદોને જે સંવિભાગશીલ છે અને સંગ્રહ તથા ઉપગ્રહમાં કુશળ છે તે આ વ્રતની સારી રીતે આરાધના કરી શકે છે. પોતે પ્રાપ્ત કરેલાં ધન સંપત્તિમાં કે નાનીમોટી ચીજવસ્તુઓમાં કે ભોજનાદિની સામગ્રીમાં જે બીજાનો ભાગ રાખતો નથી, જે સંગ્રહ રુચિવાળો નથી એટલે કે બીજાને માટે ઓછુંવત્તું બચાવવાની વૃત્તિવાળો નથી, જે અમર્યાદ ભોગપભોગમાં રાચે છે, પોતાની આવશ્યકતા કરતાં વધુ ભોગવવાની ઇચ્છા રાખે છે તે અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ જે પોતાનું કમાયેલું ધન બધું જ એકમાત્ર પોતે જ ખાય છે તે સમાજનો ચોર છે. દુનિયાના કોઈ ધર્મમાં અસ્તેય વ્રતની આવી ઊંચી ભાવના બતાવવામાં આવી નથી. વ્યક્તિગત કક્ષાએ કેટલાંયે એવા જૈનો હશે કે જે આવી સ્વાર્થી વૃત્તિવાળા હશે. એવા અન્ય ધર્મમાં પણ જોવા મળશે. પરંતુ તેથી ધર્મની આ ઊંચી ભાવના અયોગ્ય છે એમ ન કહી શકાય. આ ભાવના તો સમાજીવનનો અયોગ્ય છે એમ ન કહી શકાય. આ ભાવના તે સમાજજીવનનો એક ઊંચો આદર્શ તો છે જ, પરંતુ મોક્ષમાર્ગના સાધક માટે પણ એ ભાવના એટલી જ ઉપયોગી છે. એ ભાવનાને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ ૧૬૮ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy