SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણ કરેલું છે. એટલે પાંચ સમિતિમાં ઈર્યાસમિતિને મહત્ત્વનું સ્થાન અપાયું છે. ઈરિયાવહી' સૂત્ર ગણધર ભગવંતે રચેલું સૂત્ર છે. “આવશ્યકસૂત્રના પ્રતિક્રમણ-અધ્યયન' નામના ચોથા અધ્યયનમાં તે આવે છે. આ સૂત્ર પાકત ભાષામાં છે. તે નીચે પ્રમાણે છે. ઇચ્છાકારેણ સંદિગહ' ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે! ઇચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહીએ વિરાણાએ, ગમનાગમણે, પાણકમણે, બીયક્કમણે, હરિયક્કમણે ઓસા – ઉર્લિંગ – પણગ – દગ – મટ્ટી – મક્કડા - સંતાણા – સંકમણે ! જે મે જીવા વિરાહિયા! એગિદિયા, બેઈદિયા, તેઈંદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ! અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિવાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડે આ પ્રાકૃત સૂત્રનો ગુજરાતીમાં શબ્દાર્થ નીચે પ્રમાણે છે : ઇચ્છા પ્રમાણે ભગવન્! આજ્ઞા આપો, હું ઐયપથિકી પ્રતિક્રમણ કરું? ગમનાગમનમાં પ્રાણીને ચાંપતાં દબાવતાં, કચડતાં), બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળ, કીડીનાં દર, લીલફૂગ, પાણી, કાદવ, કરોળિયાના જાળાને ચાંપતાં – મેં જે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને લાતે માર્યા હોય, ધૂળે ઢાંક્યા હોય ભોંય સાથે ઘસ્યા હોય, અથડાવ્યાકૂટાવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, ખેદ પમાડ્યો હોય, ઉદ્વેગ પમાડ્યો હોય, એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવિતથી છૂટા કર્યા હોય મારી નાખ્યા હોય) તે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. ( તે માટે હું ક્ષમા માંગું છું.) એ સૂત્રમાં આવતા પારિભાષિક શબ્દોના અર્થ જોઈએ : પાણક્કમણે એટલે પ્રાણો (જીવો)ને ચાંપીને ઉપર ચાલતાં. બીય%મણે” એટલે બીજ બિયાં)ને ચાંપતાં. હરિમક્કમણે એટલે હરિત અથવા લીલી વનસ્પતિને, લીલોતરીને ચાંપતાં. ઓસા' એટલે ઓસ અથવા ઝાકળ. ઉનિંગ એટલે માટીમાં ગોળ છિદ્ર પાડનાર જીવો, જે ગધૈયા તરીકે ઓળખાય છે. ઉસિંગનો બીજો એક અર્થ થાય છે કીડીઓનાં દર. પણગ” એટલે લીલ, ફૂગ, પચરંગી સાધારણ વનસ્પતિ. દગમટ્ટી એટલે ઢીલો કાદવ, કીચડ, દગ અને મટ્ટી એમ જુદા જુદા શબ્દ લઈએ તો દગ (દક) એટલે કાચું પાણી અને મટ્ટી એટલે માટી. મકડા-સંતાણા' એટલે કરોળિયાનાં જાળાં. ૧૪ર જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy