SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ રસરુચિ પછી કેટલા એ વાતને શ્રદ્ધાપૂર્વક અનુસરવાનો પ્રયત્ન કરશે ? જગતના જીવ માત્ર સાથે મૈત્રી અને કરુણાની ભાવના વગર એવા જીવોની હિંસાથી વિરમવાની વાત ગમશે નહિ. જ્યાં પંચેન્દ્રિય જીવોની જ આટલી બધી હિંસા વિશ્વમાં વધી રહી છે ત્યાં એકેન્દ્રિય અને તેમાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ક્યાં વાત કરો છો? એમ કહી કોઈક હાંસી પણ ઉડાવી શકે. પરંતુ જેઓનો આત્મતત્ત્વની વિચારણામાં રસ જાગ્યો છે, જેઓને આત્મતત્ત્વની ઝાંખી થઈ શકે છે, જેઓને સર્વ જીવોમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં દર્શન થાય છે એવી વ્યક્તિઓ પોતાના આચારમાંથી ખસશે નહિ. વિશ્વમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો પ્રતિસમય જે રીતે સંહાર થયા કરે છે તે જોતાં એમ અવશ્ય કહી શકાય કે સૂક્ષ્મ જીવોની હિંસા વિના મનુષ્યનું અસ્તિત્વ ક્ષણવા૨ પણ ટકી ન શકે. હાલતાંચલતાં, હાથપગ હલાવતાં, અરે, આંખનું મટકું મારતાં પણ અસંખ્યાત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિનાશ પામે છે. વર્તમાન સમયમાં ઝડપી વાહનવ્યવહારને લીધે એનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. એક વિમાનપ્રવાસમાં કેટલા બધા વાયુકાયના જીવોની હિંસા થાય છે ! એ જીવોનો વિનાશ કરવાનો આશય ન હોય તોપણ વિનાશ થાય છે એ હકીકત છે. ક્ષણ માત્રમાં પોતાને કારણે મૃત્યુ પામેલા આવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ધારો કે મનુષ્ય જેટલો આકાર ધારણ કરીને આપણી સમક્ષ જો ઊભા રહે તો એ સંખ્યા જોઈને આપણે દિગ્મૂઢ થઈ જઈએ. જો માણસ સમજદાર હોય તો કરુણાથી એનું હૈયું ભરાઈ આવે. એટલા માટે જ પોતાની અવરજવરને કારણે જાણતાં અજાણતાં થતી જીવોની હિંસા વિરાધના માટે તત્કાળ ક્ષમા માગી લઈને વિશુદ્ધ થવાની જૈનોમાં એક વિધિ છે. પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યંત પ્રચલિત રહેલી આ વિધિ તે ઈરિયાવહી' છે. ‘ઈરિયાવહી’ શબ્દ સંસ્કૃત ર્વાથી અથવા ‘ઐર્યાપથિકી’ પરથી આવેલો છે. સંસ્કૃતમાં ર્ય શબ્દનો અર્થ ગતિ, ચાલવું, ફરવું, ગમનાગમન કરવું ઇત્યાદિ થાય છે. સાધુ-સન્યાસીઓની અવરજવર માટે એ શબ્દ સવિશેષ પ્રયોજાયો છે. પથ એટલે માર્ગ, રસ્તો. ઈર્યાપથ એટલે અવરજવર માટેનો માર્ગ અથવા માર્ગમાં આવાગમન કરવા સંબંધી. શબ્દનો અર્થવિસ્તાર થતાં ઈરિયાવહી શબ્દ માર્ગમાં ગમનાગમન કર્યા પછી તે અંગે લાગેલાં પાપમાંથી વિશુદ્ધ થવા માટે કરાતી વિશિષ્ટ ધર્મક્રિયા માટે વપરાવા લાગ્યો. જૈનોનો એ પારિભાષિક શબ્દ બની ગયો. ઈરિયાવહીની ક્રિયા શ્રાવકે તો કરવાની, પણ સાધુ-સાધ્વીઓ માટે તો તે અનિવાર્ય બની ગઈ, કા૨ણ કે ગૃહસ્થોનું ગમનાગમન નિષ્પ્રયોજન પણ હોઈ શકે, પરંતુ સાધુઓનું ગમનાગમન તો સપ્રયોજન જ હોવું જોઈએ. સાધુઓએ અહિંસાનું મહાવ્રત ઈરિયાવહી ઐપિથિકી) ૧૪૧ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy