SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું કેટલું ઝીણવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે પચ્ચકખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે પરથી જોઈ શકાય છે. પચ્ચકખાણ અથવા પ્રત્યાખ્યાન વિશે જૈન પરંપરામાં એક પ્રાચીન સમયથી મીમાંસા થતી આવી છે. પ્રત્યાખ્યાન વિશે જૈન આગમસાહિત્યમાં વિશદ અને ગહન છણાવટ થયેલી છે. ભગવતીસૂત્રના સાતમા શતકમાં પ્રત્યાખ્યાન'નું સ્વરૂપ, તેના ભેદો અને લક્ષણો આપવામાં આવ્યાં છે. જૈન આગમગ્રંથોમાંનું ‘દષ્ટિવાદ' નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયું છે. પરંતુ અન્ય સંદર્ભો પરથી નિશ્ચિતપણે જાણી શકાય છે કે “દૃષ્ટિવાદ' નામના અંગમાં પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વ નામનું એક પૂર્વ હતું. આ પૂર્વમાં પચ્ચકખાણ વિશે ચોરાસી લાખ જેટલાં પદ હતાં એમ કહેવાય છે. પચ્ચકખાણ વિશેના લુપ્ત થઈ ગયેલા આ પૂર્વની પદસંખ્યા જોતાં પણ સહેજે સમજી શકાય એમ છે કે તેમાં પચ્ચકખાણ વિશે કેટલી બધી વિગતે છણાવટ થઈ હશે ! પચ્ચકખાણ વિશે આગમસાહિત્ય, આવશ્યક-નિર્યુક્તિ વગેરે ટીકાગ્રંથો ઉપરાંત ઘણા બીજા ગ્રંથોમાં વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંથો ઉપરાંત શ્રાદ્ધવિધિ’, ‘પ્રવચન-સારોદ્ધાર', યતિદિનચર્યા તથા ચૈત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષા લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના “પ્રત્યાખ્યાન' વિશેના ભાષ્યમાં એ વિષયની મહત્ત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે “ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં પણ પચ્ચકખાણના અધિકારમાં એના પ્રકારો અને પેટપ્રકારોની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણા કરી છે. આ ઉપરાંત સંવેગ રંગાળા' વગેરે બીજા કેટલાક ગ્રંથોમાં પણ પરચકખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે. આ બધા શાસ્ત્રગ્રંથોમાં પચ્ચકખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારો બતાવવામાં આવ્યા છે. પચ્ચકખાણના મુખ્ય બે પ્રકારો તે મૂળ ગુણાત્મક અને ઉત્તર ગુણાત્મક છે. કહ્યું છે : प्रत्याख्यानं द्विघा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशघा ज्ञेयं अनागतादिमेदकं ॥ અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિક્પરિમાણ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણના પોષણને અર્થે હોય છે. ૧૩૬ - જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy