SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ઇવર પ્રતિક્રમણ – સ્વલ્પકાળમાં કંઈ પણ ભૂલ કે દોષ થાય તો તે માટે તરત કરાતું પ્રતિક્રમણ. જીયાવતુકથિત પ્રતિક્રમણ – મહાવ્રતોને વિશે જે કંઈ દોષ લાગે તો તેમાંથી પાછા હઠવાના સંકલ્પપૂર્વક સમગ્ર જીવનને માટે કરાતું પ્રતિક્રમણ. (૫) યત્કિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ – ક્યારેક પ્રમાદને કારણે યત્કિંચિત્ અસંયમ થઈ જાય તો તે માટે કરાતું પ્રતિક્રમણ. (૬) સ્વખાંતિક પ્રતિક્રમણ – ખરાબ સ્વપ્નાં આવે, સ્વપ્નમાં વાસના કે વિકારોનો અનુભવ થાય તો તે માટે કરાતું પ્રતિક્રમણ. પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ બતાવવામાં આવ્યાં છે: (૧) આશ્રયદ્વાર પ્રતિક્રમણ, (૨) મિથ્યાત્વ પ્રતિક્રમણ, (૩) કષાય પ્રતિક્રમણ, યોગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ પણ પ્રતિક્રમણના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. પ્રતિક્રમણના આ પ્રકારો ઉપરાંત બીજો એક વિશેષ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે અને તે છે “ઔરમાર્થિક પ્રતિક્રમણ અથવા ઉત્તમાર્ગે એટલે કે ઉત્તમ હેતુ માટે કરાતું પ્રતિક્રમણ. અનશન કે સંલેખના કરવા માટે, પાપની આલોચન કરવાપૂર્વક જે પ્રતિક્રમણ કરાય છે તે ઔરમાર્થિક પ્રતિક્રમણ કહેવાય છે. દેવસિક આદિ પ્રતિક્રમણને વ્યાવહારિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે અને ઔત્તમાર્થિક પ્રતિક્રમણને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. __ पडिक्कमणं देसियं राइयं च इत्तरिअभावकहियं वा । पक्खिअ चउम्मासिअ सवच्छर उत्तमठ्ठ अ॥ ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કરનાર સંલેખના વ્રત ધારણ કરી આહારનો ત્યાગ કરે છે ત્યારે દેહ ઉપરની તેની મમત્વબુદ્ધિ ચાલી જાય છે; એની આત્મરમણતા વધવા લાગે છે. પોતે માત્ર આત્મસ્વરૂપ છે, તેનું સતત ભાન રહ્યા કરે છે. એ વખતે દેહ અને આત્માની ભિન્નતાનું ભાન કરાવનાર ઔરમાર્થિક પ્રતિક્રમણ જીવાત્મા માટે ભેદવિજ્ઞાનનું અનોખું સાધન બની રહે છે. "પ્રતિક્રમણ’ શબ્દના બીજા સાત પર્યાયો દર્શાવતાં કહેવાયું છે : पडिक्कमणं पडिचरणा पडिहरणा वारणा निअत्ति अ। निंदा गरहा सोही पडिक्कमणं अहा होई॥ (૧) પ્રતિક્રમણ (૨) પ્રતિચરણ (અથવા પ્રતિચરણા), (૩) પ્રતિહરણા, (૪) વારણા, (૫) નિવૃત્તિ, (૬) નિંદા, (૭) ગહ અને (૮) શુદ્ધિ એ આઠ પ્રકારે પ્રતિક્રમણ ૧૧૬ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy