SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ દરમિયાન જે દોષો થયા હોય તે દોષોને માટે દિવસના અંતભાગમાં પ્રતિક્રમણ કરવું તે દૈવસિક પ્રતિક્રમણ. રાત્રિ દરમિયાન ગમનાગમન, સ્વપ્નાદિક કે અન્ય પ્રકારના જે કંઈ દોષો થયા હોય તે માટે રાત્રિના અંતભાગમાં એટલે કે વહેલી સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિના પ્રતિક્રમણ. આમ માણસે રોજેરોજ ચોવીસ કલાકમાં બે વખત પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ. દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ ઉપરાંત પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એમ પ્રતિક્રમણના બીજા ત્રણ પ્રકારો પણ બતાવાયા છે. એ ત્રણ પ્રકારો તે વસ્તુતઃ દૈતસિક અને રાત્રિક પ્રતિક્રમણના વિશિષ્ટ પ્રકારો છે. અનુક્રમે તેમને વધુ મહત્ત્વના ગણવામાં આવ્યા છે. દર પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે પાક્ષિક પખી), દર ચાર માસે કરાતું પ્રતિક્રમણ તે ચાતુર્માસિક (ચોમાસી) અને દર વર્ષે કરાતું પ્રતિક્રમણ તે સાંવત્સરિક (સંવત્સરી, સમછરી, છમછરી) પ્રતિક્રમણ કહેવાય છે. રોજ જો દૈવસિક પ્રતિક્રમણ બરાબર કરાતું હોય તો પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા જુદા પ્રકાર ગણવાની જરૂર શી એવો પ્રશ્ન કોઈકને થાય. તેનો ખુલાસો કરતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે રોજેરોજ ઘર સાફ કરવામાં આવે છે તોપણ પર્વના દિવસે તે ખૂણેખાંચરેથી બરાબર સાફ કરવામાં આવે છે. તેવી રીતે રોજનું પ્રતિક્રમણ કરવા છતાં વિસ્મૃતિ, લજ્જા, ભય, મનની મંદતા, પ્રમાદ ઇત્યાદિના કારણે જે કોઈ અતિચારોની વિશુદ્ધિ કરવાની બાકી રહી ગઈ હોય તે વિશુદ્ધિ પાક્ષિકાદિ મોટા પ્રતિક્રમણ દ્વારા થઈ જાય છે. કહ્યું છે जहां गेहं पइदिवसंपि सोहियं तहवि पब्वसंघिसु । साहिकाई सविसेसं एव इहयति नायव्वं ॥ જેમ રોજેરોજ ઘર સાફ કરાય છે, તોપણ પર્વને દિવસે તે વિશેષ સાફ કરાય છે તેવી રીતે આ બાબતમાં પાક્ષિકદિ પ્રતિક્રમણની બાબતમાં) જાણવું જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી પ્રતિક્રમણના ભિન્નભિન્ન પ્રકારો શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં છ પ્રકાર નીચે પ્રમાણે, વિશેષતઃ સાધુસાધ્વીઓ માટે, બતાવવામાં આવ્યા છે : - छविहे पडिक्कमणे पण्णत्ते । तं जहा - उच्चार पडिक् - कमणे, पासवण पडिक्कमणे, इत्तरिए, आवकहिए, जं किंचि मिच्छा, सोमणंतिए। (૧) ઉચ્ચાર પ્રતિક્રમણ – મળ વગેરે વિસર્જન પછી તે સંબંધી તરત ઇયપથિક (ગમનાગમનને લગતું) પ્રતિક્રમણ કરવું. (૨) પ્રસવણ પ્રતિક્રમણ – લઘુશંકાના નિવારણ પછી તે માટે તરત ઇર્યાપથિક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ = ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy