SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ માણસનો ખુશામતનો ભાવ છતો થઈ જાય છે. જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુય એટલે શુભ કર્મ. પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર. આ નવ પ્રકારમાં એક પ્રકાર ને નમસ્કાર છે. નમસ્કારમાં વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણથી જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. એ સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાસ્ય છે. જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર વિશેષતઃ શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં “ઉત્તરાધ્યયન સૂત્ર' અને “દસવૈકાલિક સૂત્ર' અત્યંત મહત્ત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ ‘વિનય વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એ વિશે નાની નાની પૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ.તનીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે : आणानिद्देसकरे गुरुणमुववायकारए । इंगियाकारसंपन्ने से विणीए ति वृच्चई ॥ જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની શુશ્રુષા કરે છે તથા એમનાં ઈંગિત અને આકારને સમજે છે તે વિનીત – વિનયવાન કહેવાય છે.) . नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए। कोहं असच्वं कुव्वेज्जा धारेज्जा विषमप्पियं ॥ વગર પૂછે કંઈપણ બોલે નહિ, પૂછવામાં આવે તો અસત્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને મનમાં ધારણ કરે અર્થાત્ ત્યારે સમતા રાખે.]. नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं वे संजए। पाए पसारिए वा वि न चिठे गुरुणतिए॥ ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ વિનય સહ ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy