SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, લોગસ્સ સૂત્રનો ઈરિયાવહી સાથે અવિનાભાવ સંબંધ રહેલો છે. કાઉસગ્ગ નવકારમંત્રનો અથવા લોગસ્સનો હોય છે. નવકારમંત્ર કરતાં લોગસ્સના કાઉસગ્ગનો આદેશ વિશેષપણે જોવા મળે છે. જ્યાં લોગસ્સ ન આવડતો હોય ત્યાં એક લોગસ્સને બદલે ચાર નવકારનો કાઉસગ્ગ કરાય છે) કાઉસગ્ગ માટે નમુત્થણ, જયવીયરાય વગેરે સૂત્રોને બદલે લોગસ્સ સૂત્રનો કાઉસગ્ન કરવાનું વિધાન છે, કારણ કે લોગસ્સમાં ચોવીસ તીર્થંકરની નામસ્તવના છે અને લોગસ્સ સાથે યોગપ્રક્રિયા પણ જોડાયેલી છે. નવકારમંત્રના કાઉસગ્નમાં પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. કાઉસગ્નની સાથે ધ્યાન જોડાયેલું છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ વગેરે પદ્ય છે, વ્યક્તિવિશેષ નથી. ધ્યાનમાં પ્રવેશ કરવા માટે પદ કરતાં વ્યક્તિવિશેષનું ધ્યાન સરળ અને સહાયરૂપ થાય છે. અરિહંત શબ્દથી ચિત્ત અરિહંતના સ્વરૂપમાં જેટલું કેન્દ્રિત થાય છે તેના કરતાં ઋષભદેવનું, પાર્શ્વનાથનું, મહાવીરસ્વામીનું નામસ્મરણ કરવાથી તેમનામાં ચિત્ત વધુ સરળતાથી એકાગ્ર થઈ શકે છે. એટલે સાલંબન ધ્યાન માટે લોગસ્સનાં ચોવીસ તીર્થકરોનાં નામ વધુ અનુકૂળ રહે છે. ચિત્ત તેમાં પરોવાઈ શકે છે. નામ વધુ અનુકૂળ રહે છે. ચિત્ત તેમાં પરોવાઈ શકે છે અને એકાગ્ર બની શકે છે. આરંભ કરનારાઓ માટે તે સરળ થઈ પડે છે. આથી નવકારમંત્ર કરતાં લોગસ્સના કાઉસગ્ગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આમ છતાં લોગસ્સ દ્વારા ચોવીસ તીર્થંકર ઉપરાંત પંચપરમેષ્ઠિનું ધ્યાન પણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથા એ માટે મહત્ત્વની છે. એમાં તીર્થકર માટે પાંચ મહત્ત્વના શબ્દો પ્રયોજાયા છે. લોગસ્સ ઉઅગરે શબ્દો દ્વારા લોકના અગ્રભાગે બિરાજમાન અને લોક ઉપર પ્રકાશ રેલાવનાર એવા સિદ્ધ ભગવંતોનું ધ્યાન થઈ શકે છે. ધમ્મ તિર્થીયરે' શબ્દમાં ધર્મતીર્થ પ્રવર્તાવનાર સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્માનું ધ્યાન થઈ શકે છે. “જિન” અને “અરિહંત' શબ્દ દ્વારા તીર્થકર ભગવાનના વિવિધ ગુણોનું ધ્યાન થઈ શકે છે. “ધમ તિવૈયરે’ શબ્દ દ્વારા ગણધરોને દીક્ષા અને ત્રિપદી આપનાર એવા અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાયનાં પદોનું પણ સ્મરણ થઈ શકે છે. કેવલી’ શબ્દ દ્વારા સાધના પદનું સ્મરણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથાના આ શબ્દોને બીજી એક રીતે ઘટાવવામાં આવે છે. આ ગાથામાં પંચપરમેષ્ઠિનું સ્વરૂપ ગૂંથી લેવામાં આવ્યું છે, કારણ કે તીર્થંકર પરમાત્માના જીવનમાં પાંચ પરમેષ્ઠિનાં પદ સુનિહિત હોય છે. (૧) તેઓ જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મતીર્થ પ્રવર્તાવે છે ત્યારે અરિહંત' સ્વરૂપે હોય છે. લોગસ્સ સૂત્ર ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy