SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ सामाइयसामग्गिं देवा विचितंति हिययमज्झम्मि । जइ हुइ मुहुतमेगं वा अम्ह देवत्तणं सहलं ॥ દિવો પોતાના હૃદયમાં સામાયિકની સામગ્રીનો (તેવી અનુકૂળતાનો) વિચાર કરે છે અને એવી ભાવના ભાવે છે કે જો અમને એક મુહૂર્ત માત્ર પણ સામાયિક મળી જાય તો અમારું દેવપણું સફળ થઈ જાય.] સામાયિકનું મૂલ્ય થઈ શકે એમ નથી. કદાચ કોઈને સામાયિકનું મૂલ્ય કરવું હોય તો શાસ્ત્રકારે કહ્યું છે : दिवसे दिवसे लख्खं देइ सुवन्नस्स खंडियं एगो । एगो पुण सामाइयं करेइ न पुहुप्पए तस्स ॥ [કોઈ એક માણસ દરરોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે અને કોઈ એક માણસ સામાયિક કરે તો દાન આપનારો માણસ સામાયિક કરનારની તોલે ન આવે.] વળી સામાયિકનું ફ્ળ દર્શાવતાં કહેવાયું છે કેઃ सामाइयं कुणंतो समभावं सावओ अ घडिय दुग्ग । आउ सुरेसु बंधइ इति अमित्ताइ पलियाइ ॥ [બે ઘડીના સમભાવથી સામાયિક કરનાર શ્રાવક (જો તદ્ભવ મોક્ષગામી ન હોય તો) અસંખ્ય વરસોનું પલ્યોપમવાળું દેવગતિનું આયુષ્ય બાંધે છે.] આમ, બે ઘડીના શ્રાવકના શુદ્ધ સામાયિકનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે. સામાયિકથી અશુભ કર્મોનો નાશ થાય છે. વળી ગૃહસ્થ માટે તો એ બે ઘડીનું સાધુપણું છે. સંસારમાં કેટલાયે એવા મનુષ્યો હશે કે જેઓ પૂર્વનાં તેવા પ્રકારનાં કર્મોના ઉદયને કારણે, વર્તમાન સંજોગોને કારણે આજીવન સાધુપણું સ્વીકારી શકતા નથી, પરંતુ તેમના હૃદયમાં તો સાધુપણાના ભાવ સતત રમતા જ હોય છે. આવા ગૃહસ્થો પૌષધ અને સામાયિક કરવાથી સાધુપણાનો આનંદ તેટલો સમય માણી,, અનુભવી શકે છે. એટલા માટે જ ગૃહસ્થોએ વારંવાર જ્યારે પણ અવકાશ મળે ત્યારે સામાયિક કરવું એવી શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. આવી રીતે શિક્ષાવ્રત સામાયિકનો સતત અભ્યાસ કરવાથી વ્યક્તિ દ્રવ્ય સામાયિકમાંથી ભાવ સામાયિક સુધી, નિશ્ચય સામાયિક સુધી પહોંચી શકે છે. પરંપરાએ એ કેવળજ્ઞાન અને મોક્ષપદ સુધી પહોંચાડી જઈ શકે છે. એટલા માટે જ સામાયિકને સિદ્ધગતિની સીડી તરીકે ઓળખાવવામાં આવે છે. જેમણે સામાયિકનો શુદ્ધ અનુભવ જાણ્યો, માણ્યો હશે તેમને એના આ મહિમાની સદ્યપ્રતીતિ અવશ્ય થશે ! Jain Education International સામાયિક ૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy