SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકદિ પર્વને દિવસે પ્રતિક્રમણમાં ‘વંદીતુ સૂત્રમાં તથા મોટા “અતિચારમાં સામાયિક માટે નીચેનો પાઠ આવે છે. એમાં સામાયિકના અતિચાર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે : વંદિત્તસૂત્રમાં સામાયિક વ્રતના અતિચાર માટે નીચેની ગાથા આપવામાં આવી છે : તિવિહે દુપ્પણિહાણે, આણવઠ્ઠતાણે તહા સઈ વિહૂણે; સામાઈય વિતહકએ, પઢમે સિફખાવએ નિદે. [ત્રણ પ્રકારનાં દુષ્પણિધાન મન, વચન અને કાયાનાં) સેવવાં તથા અવિનયપણે સામાયિક કરવું તથા યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું એ પ્રમાણે ખોટી રીતે સામાયિક કરવાને કારણે પ્રથમ શિક્ષાવ્રતને લાગેલા અતિચારને હું નિંદું છું. પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. અતિચાર એટલે વિરાધના. અતિચાર એટલે દેશભંગ, એટલે કે વ્રતનો અમુક અંશે ભંગ. અતિચારથી સંપૂર્ણ વ્રતભંગ થતો નથી, પણ વ્રતમાં અશુદ્ધિ આવી જાય છે. અનાચારથી વ્રતમાં સંપૂર્ણ ભંગ થાય છે. સામાયિકના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે: (૧) મનોદુપ્રણિધાન, (૨) વચનદુ:પ્રણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) મૃત્યુનુસ્થાપન. (૧) મનોદુપ્રણિધાન : દુપ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા ન સચવાય તેથી પ્રવેશી જતા સાવદ્ય યોગ અથવા પાપકર્મ અર્થાત્ મનની એકાગ્રતા ન સચવાતાં, પ્રમાદ થઈ જવાને કારણે થતાં પાપકર્મ. (૨) વચનદુપ્રણિધાન : સામાયિક દરમિયાન પ્રમાદથી બોલાતાં વચનોને લીધે થતાં પાપકર્મ. (૩) કાયદુપ્રણિધાન : સામાયિક દરમિયાન કાયાથી થતાં પાપકર્મ. જી અનાદરઃ પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યેનો આદરભાવ ન રહે. એથી સામાયિક ઢંગધડા વગર કરાય. સરખું લેવાય નહિ. સરખું પારવામાં આવે નહિ. સમય પૂરો થયા પહેલાં પારી લેવામાં આવે. (૫) મૃત્યસ્થાપનઃ એટલે સ્મૃતિના દોષને કારણે થતાં પાપકર્મ. સામાયિક કરવાના અવસરે તે કરવાનું યાદ ન રહે અથવા પોતે સામાયિક કર્યું કે નહિ તેવું યાદ ન રહે. પારવાનો સમય થયો કે નહિ તે યાદ ન રહે. ઇત્યાદિ પ્રકારનાં સ્મૃતિદોષને કારણે લાગતો અતિચાર. પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં બોલાતા મોટા અતિચારમાં સામાયિકની અતિચાર ૬૪ એક જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy