SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે : इह सावद्ययोग प्रत्याख्यानरूपस्य सामायिकस्य मुहूर्तमानता सिद्धान्तेऽनुत्काऽपि ज्ञातव्या प्रत्याख्यानकालस्य जधन्यतोऽपि मुहूर्तमात्र त्वान्नमस्कारसहित प्रत्याख्यानवदिति । [આ સાવદ્ય યોગના પ્રત્યાખ્યાનરૂપ સામાયિકના મુહૂર્ત કાલમાનનો નિર્દેશ શાસ્ત્રસિદ્ધાંતોમાં નથી, પણ કોઈ પણ પ્રત્યાખ્યાનનો જઘન્ય કાળ એક મુહૂર્તનો છે, નવકારશીના પ્રત્યાખ્યાનની જેમ.] હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'ના તૃતીય પ્રકાશમાં સામાયિકનાં લક્ષણો જણાવતાં મુહૂર્તના કાળનો નિર્દેશ કર્યો છે. સાધુ ભગવંતોનું સામાયિક યાવજ્જીવન હોય છે. તેઓ આરંભપરિગ્રહ કે આજીવિકાની કે ઘ૨સંસાર ચલાવવાની જવાબદારીમાંથી મુક્ત હોય છે. એટલે સાવદ્ય યોગમાંથી નિવૃત્ત થઈ તેઓ સમતાભાવમાં સતત રહી શકે છે. એટલે તેઓએ એ માટે નિશ્ચિત કાળ માટે એક આસને બેસવાનું હોતું નથી. પ્રતિક્રમણાદિ અન્ય ક્રિયાવિધિ માટેની વાત જુદી છે.) ગૃહસ્થ સાંસારિક જવાબદારીમાંથી નિવૃત્ત થાય તો એક આસને બેસી શકે અને સમતાભાવમાં રહી શકે. એ માટે કાયાના સાવદ્ય યોગ જો શાંત થાય તો તે અંતર્મુખ બની સમતાભાવનો અનુભવ કરી શકે. જો ગૃહસ્થો માટે આવી કોઈ કાળમર્યાદા ન રાખવામાં આવી હોય અને પાંચ-પંદ૨ મિનિટ જ્યારે જેટલો અવકાશ હોય ત્યારે તે પ્રમાણે સામાયિક કરી શકે એમ હોય તો આ ક્રિયાવિધિનું ગૌરવ રહે નહિ અને અનવસ્થા પ્રવર્તે. વળી ગૃહસ્થોના જીવનમાં શિથિલતા, પ્રમાદ વગેરે આવવાનો સંભવ સવિશેષ રહે. એથી ઓછામાં ઓછા સમય માટે સામાયિક કરવાનું વલણ વધતું જાય, દેખાદેખી થાય અને સામાયિકનો અભાવ પણ થઈ જાય. એ દૃષ્ટિએ પણ સામાયિકનો કાલમાન નિશ્ચિત હોય એ જરૂરી છે. વળી, કોઈ પણ ક્રિયાવિધિમાં જ્યાં સ્વેચ્છાએ સમય પસાર કરવાનો હોય તો એક પ્રકારની એકરૂપતા (Uniformity) રહે અને સામાન્ય જનસમુદાયમાં વાદવિવાદ, સંશય વગેરેને માટે અવકાશ ન રહે એ પણ જરૂરી છે. આથી જ કેટલાયે સૈકાઓ પસાર થઈ ગયા છતાં સામાયિકના બે ઘડીના કાલમાનની પરંપરા જુદા જુદા પ્રદેશના અને જુદી જુદી ભાષા બોલતા તમામ જૈનોમાં એક૨સખી ચાલી આવી છે. કોઈકને પ્રશ્ન થાય કે સામાયિકની કાળમર્યાદા બે ઘડીની જ શા માટે ? વધુ સમય માટે ન રાખી શકાય ? આનો ઉત્તર એ છે કે ગૃહસ્થ જીવનને લક્ષમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકનો કાળ એટલો બધો મોટો ન હોવો જોઈએ કે ગૃહસ્થોને પોતાની રોજિંદી જવાબદારીઓ અને કાર્યોમાંથી નિવૃત્ત Jain Education International સામાયિક = ૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy