SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શકે અને તે પ્રમાણે કરવાનો ભાવ થાય તે માટે સામાયિકની સરળ અને સંક્ષિપ્ત અને છતાં ઉપયોગી ક્રિયાઓ સહિતની વિધિ હોવી જોઈએ. કોઈ વાર બે ઘડી જેટલો સમય પણ ન રહે અને છતાં સામાયિક કરવાનો ઉત્કટ ભાવ હોય તો શું કરવું ? શ્રી રત્નશેખરસૂરિ વગેરે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે આવા સંજોગોમાં કરેમિ ભજોનો પાઠ ઉચ્ચાર્યા વગર પોતાની ધારણા પ્રમાણે સામાયિક કરવું. કારણ કે કરેમિ ભત્તે’માં જે ગુરુભગવંત માટેનો આદરભાવ છે તે સચવાવો જોઈએ. ‘કરેમિ ભન્ત'નો પાઠ બોલ્યા પછી તેની પ્રતિજ્ઞાવિધિનો અનાદર ન થવો જોઈએ. એટલે કરેમિ ભજોના ઉચ્ચારણસહિત વિધિપૂર્વક કરેલું સામાયિક તો અવશ્ય બે ઘડીનું જ હોવું જોઈએ. ગૃહસ્થોએ સામાયિક કેવી રીતે અને કેટલા સમય માટે કરવું જોઈએ ? શાસ્ત્રકારોએ એ માટે એક મુહૂર્ત એટલે કે બે ઘડીનો કાળ (અડતાલીસ મિનિટનો સમય) કહ્યો છે. દિવસ અને રાત્રિમાં જે કાળ પસાર થાય છે તેનું વિભાજન પ્રાચીન કાળમાં મુહૂર્ત, ઘટિકા, પળ, વિપળ વગેરેમાં કરવામાં આવ્યું હતું. જૂના સમયમાં કાળમાપક જે સાધનો પ્રચલિત હતાં એમાં કાચની ‘ઘડી આવતી. કાચના ઉપરના એક ગોળામાંથી બધી રેતી નીચેના ગોળામાં પડી જાય એટલા કાળને એક “ઘડી' કહેવામાં આવતો. બે ઘડી મળીને એક મુહૂર્ત જેટલો કાળ થતો. આ મુહૂર્તનું વર્તમાન માપ અડતાલીસ મિનિટનું છે. આગમગ્રંથોમાં ગૃહસ્થોના સામાયિક માટે કોઈ નિશ્ચિત કાળનો નિર્દેશ જોવા મળતો નથી. વળી કરેમિ ભજો સૂત્રમાં જાવ નિયમ' શબ્દ આવે છે. એટલે જ્યાં સુધી નિયમ લીધો છે ત્યાં સુધી એવો અર્થ થાય છે. જ્યારે સમયમાપક સાધનો સુલભ નહોતાં ત્યારે માણસો અમુક પડછાયો અમુક જગ્યા સુધી પહોંચે ત્યાં સુધી, અથવા દીવો પૂરો બળી રહે ત્યાં સુધી કે એવી નિશાની રાખી સમયનો નિયમ લેતા. ઘટિકાયંત્ર પ્રચલિત થયા પછી તેનો નિયમ લેવામાં આવતો. ભગવાન મહાવીરના સમય પછી એક મુહૂર્ત અથવા બે ઘડીનો નિર્દેશ સામાયિક માટે જોવા મળે છે. સામાયિકમાં સાવદ્યયોગનું પચ્ચકખાણ લેવામાં આવે છે. જુદાં જુદાં પચ્ચકખાણોના જુદા જુદા કાલમાન હોય છે. નાનામાં નાનું પચ્ચકખાણ તે નવકારશીનું છે. તેમાં સમયનિર્દેશ નથી પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. એ રીતે સામાયિકમાં પણ કાલનિર્દેશ નથી, પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. સામાયિકના કાળ વિશે સ્પષ્ટતા કરતાં જિનલાભસૂરિએ “આત્મપ્રબોધમાં પ૬ ર જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy