SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે સંપદા છે. એટલે સંપદાનો અર્થ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો નહિ ઘટાવી શકાય. - નવકારમંત્રમાં આઠ સંપદા હોવાથી એના ઉપધાન- (જ્ઞાન-આરાધના માટેના તપોમય અનુષ્ઠાનની વિધિમાં નવકારને આઠ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે એ ઉપરથી પણ નિશ્ચિત થાય છે કે નવકારમંત્રમાં આઠ સંપદ્ધ છે. નવકારમંત્રમાં પહેલાં સાત પદની પ્રત્યેકની એક એમ સાત સંપદા છે. એ પ્રમાણે સાત પદના સાત આલાપક છે, સાત અધ્યયન છે અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા પદની મળીને એક સંપદા છે. તેનો એક આલાપક છે. તેનું એક અધ્યયન છે. અને તે માટે ઉપધાન તપની વિધિમાં એક આંબિલ કરવાનું હોય છે. આમ સંપદાની કુલ આઠની સંખ્યા માટે સર્વ શાસ્ત્રકારો સંમત છે. ચૈત્યવંદન ભાષ્યમાં ઈરિયાવહી, શક્રસ્તવ અને અરિહંત ચેઈઆણંની સંપદાઓનાં પ્રત્યેકનાં ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ નામો નીચે પ્રમાણે છે : ઈરિયાવહીની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અમ્યુપગમ સંપદા, (૨) નિમિત્ત સંપદા, (૩) ઓઘ હેતુ સંપદા, (૪) ઇતર હેતુ સંપદા, (૫) સંગ્રહ સંપદા, (૬) જીવ સંપદા, (૭) વિરાધના સંપદા, (૮) પડિક્કમણ સંપદા. શકસ્તવની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે: (૧) સ્તોતવ્ય સંપધ, (૨) ઓઘ હેતુ સંપદા, (૩) વિશેષ સંપદા (જી ઉપયોગ સંપદા, (૫) તàતુ સંપદા, (૬) સવિશેષોપયોગ સંપદા, (૭) સ્વરૂપ સંપદા, (૮) નિજસમલદ સંપદા અને (૯) મોક્ષ સંપદા. ચૈત્યસ્તવની સંપદા અનુક્રમે આ પ્રમાણે છે: (૧) અભ્યપગમ સંપદા, (૨) નિમિત્ત સંપદા, (૩) હેતુ સંપદા, (૪) એકવચનાન્ત સંપદા, (૫) બહુવચનાત્ત આગાર સંપદા, (૬) આગંતુક આગાર સંપદા, (૭) કાયોત્સર્ગ વિધિ સંપદા અને (૮) સ્વરૂપ સંપદા. પરંતુ નવકારમંત્રની આઠ સંપદાઓનાં જુદાં જુદાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત, અન્ય કેટલાંક સૂત્રોની સંપદાઓનાં આપેલાં નામો ઉપરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદની સંપદા તે “સ્તોતવ્ય સંપદા' હોઈ શકે, કારણ કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. સ્તોતવ્ય નવકારમંત્રમાં સંપદા એક ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy