SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. પરંતુ દો કરતાં દેવડું વધુ પ્રચલિત છે, કારણ કે જો ફોડું બોલવામાં આવે તો ચૂલિકાનાં ચાર પદના ૩૨ અક્ષર થશે, એટલે કે કે નવકારમંત્રના ૬૭ અક્ષર થશે. વડુ બોલવાથી ચૂલિકાના ૩૩ અક્ષર થશે. અને નવકારમંત્રના ૬૮ અક્ષર થશે. ચૂલિકાના ૩૩ અક્ષર [તિતીસ વરવર છે અને તેમાં નવમા પદમાં ટ્રેવડું છે એવો સ્પષ્ટ નિર્દેશ ‘મહાનિશીય સૂત્રમાં થયેલો છે તે જુઓ : तहेव ईक्कारसपथपरिच्छिन्नति आलावगतित्तीस अक्खर- परिमाणं एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च पढमं हवइ मंगलं तिचलम । દિગમ્બર ગ્રંથ “મૂલાચારના પડાવશ્યકાધિકારમાં નીચે ગાથા આપેલી છે : एसो पंचणमोयारो सव्वपावप्पणासणो । मंगलेसु य सव्वेसु, पढमं हवदि मंगलं ॥ આ ગાથા દિગમ્બર શાસ્ત્રોમાં છે. તેમની પૂજનવિધિમાં પણ તે આવે છે. આમાં સર્વાઢિ છે જે ઉપરથી હવ થાય અને તે વધુ પ્રચલિત છે. તેમાં છેલ્લા પદમાં ૯ અક્ષર છે એટલે આ શ્લોકના ૩રને બદલે ૩૩ અક્ષર થાય છે. નવકારમંત્રમાં ચૂલિકા અનુપુપ છંદમાં છે. અનુછુપ છંદમાં પ્રત્યેક ચરણ આઠ અક્ષરનું હોય છે. એ રીતે ચૂલિકાનાં ચાર ચરણના ૩૨ અક્ષર થાય. એટલે છેલ્લા ચરણમાં હોફ લઈએ તો ૩૨ અક્ષર બરાબર થાય અને હેવફ લેતાં ૩૩ અક્ષર થાય અને તેથી છંદોભંગનો દોષ આવે એવી એક દલીલ કરવામાં આવે છે, પરંતુ અનુષુપ છંદમાં ૩રને બદલે વિકલ્પ ૩૩ અક્ષર હોય એવાં અનેક ઉદાહરણ ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિક વગેરેની ગાથાઓમાંથી મળશે. છંદની આ છૂટ પરાપૂર્વથી લેવાતી આવી છે. પ્રાકૃત કવિતામાં તે વિશેષપણે જોવા મળે છે. એટલે નવકારમંત્રમાં દેવ પદને લીધે ચૂલિકાના અનુપ છંદના ૩૩ અક્ષર થાય છે એ છંદોભંગનો દોષ નથી. વળી ચૂલિકાના ૩રને બદલે ૩૩ અક્ષરનું પ્રયોજન અન્ય એક દૃષ્ટિએ દર્શાવવામાં આવે છે. “નમસ્કારાવલિકા' નામના ગ્રંથમાં નવકારમંત્રનો મહિમા બતાવતાં જણાવ્યું છે કે કોઈ ખાસ પ્રયોજન કે પ્રસંગે ઉપસ્થિત થાય તે વખતે ચૂલિકાનાં ચાર પદોનું ધ્યાન ધરવું. એ ધ્યાન કણિકા સહિત બત્રીસ પાંખડીના કમળનું ધરવાનું હોય છે અને તે દરેક પાંખડીમાં એક એક અક્ષર અને એક અક્ષર કર્ણિકામાં એમ ૩૩ અક્ષરનું સ્થાપન કરીને ધ્યાન ધરવાનું ગ્રંથકારે ફરમાવ્યું છે. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરો હોય તો જ આવું કમળની પાંખડીઓવાળું ધ્યાન ધરી શકાય. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરોને એનું સમર્થન મળે છે. નવકારમંત્રના ધ્યાનના ક્રમમાં પણ અક્ષરો અને પદોનું મહત્ત્વ છે. પૂ.પં. શ્રી ૩૬ ક જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy