SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ હજારો વર્ષ પૂર્વેથી જે મંત્ર સાતત્યપૂર્વક ચાલ્યો આવતો હોય એમાં જુદી જુદી પરંપરામાં કોઈ કોઈ અક્ષરમાં ફરજ પડ્યો છે, પણ એવા ફરકનું ખાસ મહત્ત્વ નથી. વળી પદની દષ્ટિએ તથા અર્થ અને ભાવની દષ્ટિએ તેમાં કશો જ ફરક પડ્યો નથી. શ્વેતામ્બર પરંપરામાં કોઈક ફિરકાના કેટલાક લોકોમાં રિહંતાઈને બદલે રહંતા શબ્દ બોલાય છે. [રિહંતાણને બદલે સરહંતા અથવા મહંતાઈ પાઠ પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે] નમો નો સવ્વસાહૂને બદલે નમો સવ્વસાહુvi એવો પાઠ પણ ભગવતી સૂત્રમાં મળે છે. દિગમ્બર પરંપરામાં વાળને બદલે મારિયાળ, નમુવારો ને બદલે ઇનોવારો અને વર્લે બદલે દોડુ પાઠ વધુ બોલાય છે, પરંતુ તેથી અર્થ અને ભાવની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. નવકારમંત્રમાં પ્રથમ પદ નમોને બદલે પામો પણ વપરાય છે. શ્વેતામ્બરોમાં નમો અને દિગમ્બરોમાં નો એકંદરે વધુ પ્રચલિત છે, તેમ છતાં બંને પદ બને સંપ્રદાયોમાં વિકલ્પે વપરાય છે. નવકારમંત્રમાં જે નમો પદ છે તેમાં પ્રથમ વ્યંજન દત્ય તરીકે ન બોલાય છે. તથા વિકલ્પ મૂર્ધન્ય ‘’ પણ બોલાય છે. સંસ્કૃત ભાષામાં ન જેટલો પ્રચલિત છે, તેટલો જ નથી, પરંતુ પ્રાકૃતમાં–અર્ધમાગધીમાં ન કરતાં “' વધુ પ્રચલિત છે. નવકારમંત્ર પ્રાકૃત ભાષામાં હોવાથી નમોને બદલે ગમો બોલાય-લખાય તે વધુ યોગ્ય છે એમ કેટલાક માને છે. પ્રાકતમાં તેને સ્થાને પૂનો આદેશ થાય છે. વરરચિ નામના વૈયાકરણ પ્રમાણે પ્રાકૃતમાં “ન'નો ‘’ થવો જોઈએ, પ્રાકૃત પ્રકાશ' નામના વ્યાકરણ ગ્રંથમાં નો સર્વત્ર / નામનું સૂત્ર આપ્યું છે, જે બતાવે છે કે પ્રાકૃતમાં બધે જ થાય છે, પરંતુ હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આ અંગે વાત સૂત્ર (૮-૧-૨૨૯) આપ્યું છે તે પ્રમાણે વા એટલે વિકલ્પ અને આવી એટલે આદિમાં અર્થાત્ શબ્દારંભે રહેલો અસંયુક્ત નો પણ થાય છે. પ્રાકૃતમાં લખાયેલા કેટલાક ગ્રંથોમાં તેનો વિકલો પણ જોવા મળે છે. હસ્તપ્રતોમાં પણ ન અને પણ એ બંને અનુનાસિક વ્યંજનો વિકલ્પ લખાયેલા જોવા મળે છે. વળી ઓરિસ્સાની ઈસવીસન પૂર્વેની ગુફામાં નમો કોતરાયેલું તથા મથુરાના સૂપ ઉપર પણ નમો કોતરાયેલું જોવા મળે છે. આમ અત્યંત પ્રાચીન કાળથી બંને પદો પ્રચલિત રહ્યાં છે. એટલે જ અને I એ બંને પ્રયોગો શુદ્ધ છે એમ કહી શકાય. માટે જ નમોને બદલે પાનો હોય અથવા નમુક્કારોને બદલે મુક્કારો હોય તો તે બંને સાચાં છે. પરંતુ નમોને બદલે જ ક જૈન ધર્મ દર્શન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy