SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ मन्त्रपंच नमस्कार कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराष्टाग्रोत्कृष्टविद्यासहस्त्रकः ॥ [કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચ–પરમેષ્ઠિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉ૫૨ એક હજાર ને આઠ વિદ્યાઓ રહેલી છે.] नवकार एक अक्खर पावं फेडेइ सत्तअयराणं । पन्नासं च पण सागर पणसय समग्गेणं ॥ [શ્રીનવકારમંત્રનો એક અક્ષર સાત સાગર (સાગરોપમ)નાં પાપનો નાશ કરે છે. તેના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે.] શ્રી કુશળલાભ વાચક ‘નવકારમંત્રના છંદ'માં એનો મહિમા વર્ણવતાં આરંભમાં જ કહે છે : અડસઠ અક્ષર અધિક ફ્લ, નવ પદ નવે નિધાન, વીતરાગ સ્વયં મુખ પદે, પંચપરમેષ્ઠિ પ્રધાન; એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય, સંચિત સાગર સાતાં પાતિક દૂર પલાય. નવકા૨મંત્રમાં જેને નમસ્કાર કરવામાં આવ્યો છે તે પદો—હિંતાળ, સિદ્ધાળું, આયિાળ, ગુવન્નાયાળું, સાહૂળ પદો, વ્યક્તિવાચક નહિ પણ જાતિવાચક કે ગુણવાચક હોવાથી જ નવકારમંત્ર સર્વવ્યાપક અને સનાતન રહ્યો છે. એથી જ આ મંત્ર અન્ય ધર્મને પણ સ્વીકાર્ય બની શકે છે. એનાં ગુણવાચક પદોની આ મહત્તા છે. નવકારમંત્રનાં પાંચ પદ, ચૂલિકાનાં ચાર પદ અને ચૂલિકાસહિત નવ પદના સંખ્યાંક પ્રમાણે તથા તે દરેકના સ્વર, વ્યંજન, માત્રા વગેરેના સંખ્યાંક પ્રમાણે તથા તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરવાથી પ્રાપ્ત થતાં સંખ્યાંક પ્રમાણે તેની સાથે ત્રણ તત્ત્વ, ચાર કષાય, ચાર ગતિ, પાંચ આચાર, પાંચ મહાવ્રત, પાંચ જ્ઞાન, છ દ્રવ્ય, સાત નય, આઠ કર્મ, નવ તત્ત્વ, નવ નિધિ, અગિયાર ગણધર, દ્વાદશાંગી, ચૌદ ગુણસ્થાન, ચૌદ રાજલોક, બાવીસ પરીષહ, ચોવીસ તીર્થંકર વગેરેનો સંખ્યાંક જોડીને તેનો મહિમા બતાવાય છે. અમુક રીતે ગુણાકાર વગેરે કરવાથી સર્વ શ્રુત જ્ઞાનના અક્ષરોની સંખ્યા પણ આવે છે એમ દર્શાવાય છે. એકંદરે નવકારમંત્રના અક્ષરો મંત્રરૂપ હોવાથી અને તેની વિવિધ સંખ્યા સાંકેતિક હોવાથી તે નવકા૨મંત્રના મહિમાને સવિશેષ દર્શાવે છે. આમાં ઉપલક દૃષ્ટિએ કોઈએ માત્ર જોડી કાઢેલી ગણિતની રમત દેખાય, પરંતુ અનુપ્રેક્ષા દ્વારા જેમને સૂક્ષ્મ અનુભૂતિ થઈ હોય તેમને પ્રત્યેક્ષ અક્ષર યથાસ્થાને, યથાર્થ, ૫૨મ રહસ્યનો બોધ કરાવનાર અને સમગ્રપણે મોક્ષમાર્ગના પ્રયાણ માટે પથપ્રદર્શક લાગે છે. નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ * ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy