SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બે સાધકોની અનુભૂતિ જુદી જુદી હોઈ શકે છે. એટલે એમાં કોઈ એક જ નિશ્ચિત નિયમ ન પ્રવર્તી શકે. નવકારમંત્રના અક્ષરો ગૂઢ રહસ્યમય અને સાંકેતિક છે. નવકારમંત્રમાં જે રીતે તે સ્થાન પામ્યા છે તેમાં તેનું માત્ર ગાણિતિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ પ્રયોજન જોઈ શકાય છે. નવકારમંત્ર અક્ષરોની દષ્ટિએ સર્વસંગ્રહ છે એમ દર્શાવતાં પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ “અનુપ્રેક્ષા' ગ્રંથમાં લખે છે : “નવકારમાં ચૌદ “નકાર છે પ્રાકૃત ભાષામાં “ન’ અને ‘ણ બંને વિકલ્પ આવે છે તે ચૌદ પૂર્વોને જણાવે છે અને નવકાર ચૌદ પૂર્વરૂપી શ્રુતજ્ઞાનનો સાર છે એવી પ્રતીતિ કરાવે છે. નવકારમાં બાર “અ”કાર છે તે બાર અંગોને જણાવે છે. નવ “ણકાર છે તે નવ નિધાનને સૂચવે છે. પાંચ “નકાર પાંચ જ્ઞાનને, આઠ “સકાર આઠ સિદ્ધને, નવ “મકાર ચાર મંગળ અને પાંચ મહાવ્રતોને, ત્રણ લકાર ત્રણ લોકને, ત્રણ ‘હકાર આદિ, મધ્ય અને અંત્ય મંગળને, બે “ચકાર દેશ અને સર્વ ચારિત્રને, બે “ક” કાર બે પ્રકારના ઘાતી-અઘાતી કર્મોને, પાંચ પકાર પાંચ પરમેષ્ઠિને, ત્રણ “ર કાર (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી) ત્રણ રત્નોને, ત્રણ થ' કાર (ગુરુ અને પરમગુરુ એમ) બે પ્રકારના ગુરુઓને, બે “એ” કાર સાતમો સ્વર હોવાથી સાત રાજ ઊર્ધ્વ અને સાત રાજ અધો એવા એવા ચૌદ રાજલોકને સૂચવે છે.” વળી તેઓ લખે છે : મૂળ મંત્રના ચોવીસ ગુરુ અક્ષરો ચોવીસ તીર્થકરોરૂપી પરમ ગુરુઓને અને અગિયાર લઘુ અક્ષરો વર્તમાન તીર્થપતિના અગિયાર ગણધર ભગવંતોરૂપી ગુરુઓને પણ જણાવનારા છે.” નવકારમંત્રના વર્ગોના ભિન્ન ભિન્ન સ્વર અને વ્યંજનને લક્ષમાં રાખીને આવાં બીજાં પણ કેટલાંક સાંકેતિક અર્થઘટન દર્શાવવામાં આવે છે, જેમ કે એક વખત આવતો ઝ અનેકાન્તવાદ સૂચવે છે; એક વખત આવતો ન આણાએ ધમ્મો સૂચવે છે; એક વાર આવતો જ્ઞા ઝાણ (ધ્યાન) સૂચવે છે; એક વાર આવતો ન જીવ ગતનું સૂચન કરે છે, એક વાર આવતો ત તત્ત્વ (આત્મતત્ત્વ) સૂચવે છે, એક વાર આવતો ૩ દેવ (વીતરાગ પ્રભુનું સૂચન કરે છે; એર વાર આવતો જ ધર્મક્રિયા સૂચવે છે; એક વખત આવતો હિંસાત્યાગ સૂચવે છે. ત્રણ વાર આવતો ય ત્રણ યોગ મન, વચન અને કાયાના)નું સૂચન કરે છે; નવ વખત આવતો વ નવ વાડ (બ્રહ્મચર્યની)નું સૂચન કરે છે. આમ, નવકારમંત્રના જુદા જુદા અક્ષરોનો મહિમા ઘણી જુદી. જુદી રીતે દર્શાવાયો છે. નવકારમંત્રના અક્ષરનો મહિમા દર્શાવતાં વળી કહેવાયું છે : ૩૨ જી જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy