SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શીખી શકે એટલી સરળતા. એના ઉચ્ચારણમાં છે. ભાષાની દૃષ્ટિએ જેને હજુ સરખું બોલતાં ન આવડતું હોય એવા દોઢ-બે-અઢી વર્ષનાં બાળકો નવકારમંત્ર હોંશે હોંશે બોલતાં શીખી ગયાં હોય એવાં અનેક દાંતો જોવા મળશે. મુખના ઉચ્ચારણના અવયવોની કંઈક ખોડ કે ખામીવાળા માણસો પણ નવકારમંત્ર બોલી શકતાં હોય છે. એટલી સરળતા અને ક્ષમતા નવકારમંત્રમાં છે. નવકારમંત્રના અધ્યયનસ્વરૂપ કે મંત્રસ્વરૂપ એવાં પહેલાં પાંચ પદ “નમો’ શબ્દથી શરૂ થાય છે. આ શબ્દનાં બંને વ્યંજનો અનુનાસિક વ્યંજનો છે. અનુનાસિક ઉચ્ચારણ સરળ, શ્રમવિનાનું અને કર્ણપ્રિય હોય છે. મુખ ખોલ્યા વગર પણ અનુનાસિક ઉચ્ચારણ થઈ શકે છે. બાળક બોલતાં શીખે છે ત્યારે “ના”, “મા” જેવા એકાક્ષરી અનુનાસિક ઉચ્ચારવા લાગે છે. એટલે નવકારમંત્રમાં “નમો પદના ઉચ્ચારણમાં મુખના ઉચ્ચારણ-અવયવોને ઓછું કાર્ય કરવું પડે છે અને તેથી તેના ઉચ્ચારણમાં અભાવ, આનાકાની કે પ્રતિક્રિયાનો સંભવ રહેતો નથી. વળી નવકારમંત્રના સ્વર-વ્યંજનો વિશે એમ કહેવાય છે કે દરેકમાં એટલું બધું સામર્થ્ય છે કે બાલ્યાવસ્થા, ઉચ્ચારણના અવયવોની ખોડ, શિખાઉ અવસ્થા કે અજ્ઞાનને કારણે તે સ્વરભંજનનું અશુદ્ધ કે આઘુંપાછું ઉચ્ચારણ થઈ જાય અથવા એકને બદલે અન્ય સ્વર કે અન્ય વ્યંજનનું જો ઉચ્ચારણ થઈ જાય તો પણ તેનો કંઈક મહત્ત્વનો અને અનુરૂપ અર્થ અવશ્ય થાય જ છે. વળી, તેવા ઉચ્ચારણમાં અશાતનાનો દોષ લાગતો નથી. નમસ્કારમંત્રના ચિંતકોએ આ મંત્રનાં એવાં કેટલાંયે સંભવિત અન્ય ઉચ્ચારણોનાં ઉદાહરણ આપીને તે દરેકનો પણ સરસ અર્થ ઘટાવી આપ્યો છે. એકલા પ્રથમ પદ “નમો અરિહંતાણંના પણ કેટલા બધા અર્થ પૂર્વ સૂરિઓએ દર્શાવ્યા છે એ પરથી સમજાશે કે નવકારમંત્રમાં સ્વર-વ્યંજનના ઉચ્ચારણમાં અન્ય મંત્રોની જેમ અશુદ્ધિના દોષ ઉપર ભાર મૂકીને તેનો ભય બતાવવામાં નથી આવ્યો. અલબત્ત, તેમ છતાં શુદ્ધિ માટેનો આગ્રહ તો અવશ્ય ઈષ્ટ ગણાયો છે. શું મંત્રદ્ધાઓ પહેલાં બધા સ્વરયંજનોનો વિચાર કરી, તેમાંથી પસંદગી કરી, અમુક ક્રમે તેમને ગોઠવીને મંત્રની રચના કરતા હશે? આ પ્રશ્નોનો જવાબ એ છે કે મંત્રરચના એ કોઈ બૌદ્ધિક વ્યાયામ નથી, પરંતુ મંત્રદ્રષઓને પોતાની વૈયક્તિક સાધના અનુસાર સ્વરૂપ, પ્રયોજન, આરાધના, કાર્યસિદ્ધિ, ઇત્યાદિની દષ્ટિએ પોતાના આત્મસ્વરૂપમાં, આત્મસંવેદનામાં જે સ્વરયંજનો સહજ રીતે ઊઠતા, અનુભવાતા હશે તે જ સ્વરભંજનો એની મેળે ગોઠવાઈ જઈને મંત્રસ્વરૂપ બની જતા હશે. આ એક અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ અનુભૂતિનો વિષય છે. તેમાં પણ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy