SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમેરીને અને પાંચમા પદમાં માત્ર નો રાખીને પ્રત્યેક પદના સાત સાત અક્ષર સ્પષ્ટ રીતે કરી શકાયા હોત. તેમ છતાં બીજા પદના પાંચ અક્ષર રાખી પાંચમા પદના નવ અક્ષર કેમ કરાયા હશે એવો પ્રશ્ન થાય. વસ્તુત તોઅને સત્ર એ બે શબ્દ પાંચમાં પદમાં જ સુસંગત અને સર્વ દૃષ્ટિએ ઉચિત છે. તોઅથવા સબ્ધ શબ્દમાંથી કોઈ એક શબ્દ અથવા તે બંને શબ્દો આરંભના કોઈ પણ પદમાં મૂકવામાં આવે તો અર્થની દૃષ્ટિએ ફરક નહિ પડે, પણ ત્યાર પછીના પદમાં તે અવશ્ય મૂકવાં જ પડે નહિ તો અર્થ મર્યાદિત થાય અને સંશય જન્માવે. નમો સવ્વ સિદ્ધ એવી પદરચના કયાં પછી નમો સવ્ય કારિયામાં ન હોય અને માત્ર નમો મારિયા હોય તો મનમાં પ્રશ્ન થાય કે શું બધા આચાર્યોને નમસ્કાર નહિ હોય ? એવી જ રીતે નો, શબ્દ બીજા પદમાં પ્રયોજવામાં આવે અને પછી ન પ્રયોજાય તોપણ અર્થ મર્યાદિત છે કે કેમ તે વિશે સંશય રહે. એટલે તો અને સત્ર બંને શબ્દો પાચમા પદમાં વપરાયા છે, તે જ સર્વ રીતે યોગ્ય છે, કારણ કે છેલ્લા પદમાં હોય તો ઉપરનાં ચારે પદમાં એ અર્થ આપોઆપ આવી જ જાય છે એમ સ્વાભાવિક તર્કથી પણ સમજી શકાય. વળી પદના અક્ષરોની દૃષ્ટિએ પણ સાતના સંખ્યાંકની સાથે પાંચ અને નવના સંખ્યાંક પણ એટલા જ પવિત્ર મનાયા છે. એટલે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર થવા સાથે પાંચ, સાત અને નવ એ ત્રણે સંખ્યાક ગૂંથી લેવાયા છે. વળી લયબદ્ધ આલાપકની દૃષ્ટિએ પણ તે સુસંગત, સુસંવાદી અને વૈવિધ્યમય બન્યા છે. નવકારમંત્રમાં વ્યંજનરહિત સ્વર આ પ્રમાણે છે : મંત્રમાં તે કેટલી વાર આવે છે તેના સંખ્યાકો કૌંસમાં જણાવ્યા છે): અ (૧), આ (૧), ઈ (૧), ૩ (૧), એ (૨), સ્વરસહિત સંયુક્તાક્ષરો આ પ્રમાણે છે : કકા (૧), ... (૧), દ્વા (૧), પ (૧), વ (૨), બે (૧). અ” સ્વર અને “અ” સ્વરસહિત એટલે કે અકારાન્ત વ્યંજન આ પ્રમાણે છે: અ (૧), ગ (૨), ઢ (૧), ન (૬), ૫ (૧), ૩ (૧), વ (૩), સ ), હ (૧), પ (૧), વ (૨). ‘આ’ સ્વર અને “આકારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે : આ (૧), કકા (૧), ઝા (૧), સા. (૧), તા (૧), દ્ધા (૧), પા (૧), યા (૨), લા (૧), સા (૧). “ઈ' સ્વર અને ‘ઈ’કારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે: ઈ (૧), રિ (૨), સિ (૧), સિં (૧). ઉ” અને “ઊ' સ્વર અને “ઉ-ઊ'કારાત્ત વ્યંજનો આ પ્રમાણે છે : ઉ (૧), મુ (૧), હૂ (૧). નવકારમંત્રનું પાક્ષર સ્વરૂપ ક ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy