SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ છે. નવકારમંત્રનાં આ પાંચમાંથી પ્રથમ ત્રણ પદનું એક ચરણ અને ચોથા તથા પાંચમાં પદનું બીજું ચરણ એમ જો તે બે ચરણમાં મૂકવામાં આવે તો ત્રિકલ અને ચતુષ્કલના આવર્તનયુક્ત તે ગાથા (ગાહા) છંદની એક કડી જેવું લાગે, કારણ કે ગાથા છેદમાં પ્રથમ ચરણમાં ૩૦ માત્રા અને બીજા ચરણમાં ૨૭ માત્રા હોય છે, જ્યારે નવકારમંત્રમાં નીચે પ્રમાણે પહેલામાં ૩૧ અને બીજામાં ૨૭ માત્રા થાય છે. એટલે કે પહેલા ચરણમાં ફક્ત એક જ માત્રાનો ફરક છે, જે નિર્વાહ્ય છે. જુઓ : નમો હંતાણં નમો સિદ્ધાપ નમો પાયરિયા ! –૩૧ માત્રા નમો ઉવMીયા નમો નો સવ્વસાહૂi | -૨૭ માત્રા નવકારમંત્રમાં ચૂલિકાનાં ચાર પદ . તે પદ્યબદ્ધ છે. તે અનુષુપ છંદમાં છે. તેને શ્લોક તરીકે પ્રાકૃતમાં સિલોગો તરીકે પણ ઓળખાવાય છે. ચૂલિકાના પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ છે. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ અને આઠમો અક્ષર ગુરુ છે. અનુછુપ શ્લોકમાં પ્રત્યેક ચરણના આઠ અક્ષર, એમ ચાર ચરણના બત્રીસ અક્ષર હોય છે. નવકારમંત્રની ચૂલિકાના સિલોગોના ૩રને બદલે તેત્રીસ અક્ષર છે; પરંતુ ૩૩ અક્ષરનો શ્લોક પ્રાકૃતમાં પ્રચલિત છે. “હવઈ ના “ઈને અનક્ષર તરીકે ગણતાં શ્લોકનું માપ બરાબર સચવાય છે. વળી, તેત્રીસ અક્ષર હોવા છતાં શ્લોકના ઉચ્ચારણમાં કશો ફરક પડતો નથી. નવકારમંત્રના પ્રથમ પદ “નમો અરિહંતાણમાં સાત અક્ષરો છે. એ સાત અક્ષરનો પણ વિશિષ્ટ મહિમા બતાવાયો છે. કહેવાયું છે: सप्तक्षेत्रीव सफला सप्तक्षेत्रीव शाश्वती । सप्ताक्षरीयं प्रथमा सप्त हन्तु भयानि मे ॥ સિાત ક્ષેત્રો જિન મંદિર, જિન પ્રતિમા, જિનાગમ વગેરે)ની જેમ સફળ અને સાત ક્ષેત્ર (ભરતાદિની જેમ શાશ્વત એવી આ સપ્તાક્ષરી મારા સાત ભયને દૂર કરો] શ્રી “મહાનિશીય સૂત્રના પાંચમા અધ્યયનમાં પણ આ સાત અક્ષરોનો મહિમા દર્શાવાયો છે. જુઓ : नमो अरिहंताणं । सत्तरखर परिमाणं अणंत गमपज्जवत्थ- साहग, सव्व महामंतपवरविज्जाणं परमबीअभूअं । (નમો અરિહંતાણ-એ સાત અક્ષર પ્રમાણ, અનંત ગમ પર્યાવયુક્ત અર્થસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજભૂત છે.) ઉપદેશતરંગિણી'માં કહ્યું છે : નવકારમંત્રનું પદ્યક્ષર સ્વરૂપ * ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy