SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. હાદ્રિ (પીળા) વર્ણવાળા સુખી હોય છે અને શુક્લ વર્ણવાળા પરમ સુખી હોય છે. આ શ્લોકની ટીકામાં કહ્યું છે કે જ્યારે તમોગુણની અધિકતા, સત્ત્વગુણની ન્યૂનતા અને રજોગુણની સમ અવસ્થા હોય ત્યારે કૃષ્ણ વર્ણ હોય છે. આ રીતે એક ગુણની અધિકતા, બીજા ગુણની સમ અવસ્થા અને ત્રીજા ગુણની ન્યૂનતા હોય તો તે પ્રમાણે જીવના જુદા જુદા વર્ણ થાય છે. શુક્લ વર્ણમાં તમોગુણની ન્યૂનતા, રજોગુણની સમ અવસ્થા અને સત્ત્વગુણની અધિકતા હોય છે. પાતંજલ યોગદર્શન'માં કહ્યું છે કે ચિત્તના કૃષ્ણ, અકૃષ્ણ-અશુક્લ અને શુક્લ એમ ત્રણ પ્રકાર છે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં અને બૌદ્ધ ધર્મમાં લેશ્યાને માટે ‘અભિજાતિ’ શબ્દ પ્રયોજાયો છે. બૌદ્ધોના ‘અંગુત્તરનિકાય’ ગ્રંથમાં શિષ્ય આનંદ પૂરણકશ્યપનો સંદર્ભ આપીને ભગવાન બુદ્ધને કહે છે કે “ભદન્ત ! પૂરણકશ્યપોપો કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર, શુક્લ તથા પરમ શુક્લ એવા વર્ણવાળી છ અભિજાતિઓ કહી છે; જેમ કે ખાટકી, પારિધ વગેરે માણસોની અભિજાતિ કૃષ્ણ વર્ણની કહી છે.’ જૈન ધર્મમાં શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન મહાવીરસ્વામી કહે છે કે લેશ્યાઓ છ પ્રકારની છે. कइ णं भन्ते, लेस्साओ पन्नत्ताओः गोयमा । छलेस्साओ पन्नत्ताओ, तं जहोફતેસ્સા, નીતેક્ષા, પિત્તેક્ષા, તેડનેસ્સા, પમ્હનેમા, સુજેસા । [હે ભગવાન, લેશ્યાઓ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ, લેશ્યાઓ છ પ્રકા૨ની છે, તે આ પ્રમાણે છે : (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા, (૪) તેજોલેશ્યા (૫) પાલેશ્યા, (૬) શુક્લલેશ્યા.] શ્રી ભગવતીસૂત્ર ઉપરાંત શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં આ છ લેશ્યાઓ વિશે બહુ વિગતે વિચારણા કરવામાં આવી છે. લેશ્યાના મુખ્ય બે પ્રકા૨ છે : (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. દ્રવ્યલેશ્યા પુદ્ગલરૂપ છે. એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણો દ્રવ્ય લેશ્યામાં પણ છે. પ્રજ્ઞાપના સૂત્ર'ના ૧૭મા પદમાં ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું છે કે દ્રવ્યલેશ્ય અસંખ્યાત્ પ્રદેશી છે અને તેની અનન્ત વર્ગણા છે. Jain Education International ૨૨૦ જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy