SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ તો એના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. કોઈક પ્રામાણિક ગણાતો માણસ કંઈક ચોરી કરતાં રંગે હાથ પકડાઈ જાય કે તરત એનું મોઢું પડી જાય છે, પ્લાન થઈ જાય છે. માણસ અત્યંત પ્રસન્ન હોય પણ અચાનક ચિંતાના ગંભીર સમાચાર આવતાં વ્યગ્ર બની જાય ત્યારે એના ચહેરા પરની રેખાઓ અને રંગો બદલાઈ જાય છે. માણસ નિરાશ બેઠો હોય અને એકદમ કોઈ સરસ ખુશખબર આવે કે તરત તે જો ઉત્સાહમાં આવી જાય તો એના ચહેરા પર રોશની પથરાઈ રહે છે. માણસની ભૂલ થાય અને એને અપમાનજનક ઠપકો આપવામાં આવે તો એનું મોઢું પડી જાય છે. ક્રોધના ભારે આવેશમાં કોઈ માણસ આવી જાય તો એનો ચહેરો પહેલાં લાલ થાય અને પછી કાળો પડી જાય છે. આ બધું બતાવે છે કે માણસના દેહમાં રંગોની કોઈક સૂક્ષ્મ પ્રક્રિયા થયા કરે છે. આ સૂક્ષ્મ પ્રક્રિયા તે લેયા છે. આપણા બાહ્ય દેખાતા શરીરની અંદર આપણા આત્મા સાથે, (આત્મપ્રદેશો સાથે જોડાયેલાં બીજાં બે સૂક્ષ્મ શરીર હોય છે. એક શરીર તે તેજસ શરીર અને બીજું તે કામણ શરીર. તેજસ શરીર સૂક્ષ્મ છે અને કાર્પણ શરીર એનાથી પણ વધુ સૂક્ષ્મ છે. જેમ બાહ્ય શરીરનાં પુગલ પરમાણુઓ છે, તેમ આ બંને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરનાં પણ પુગલ પરમાણુઓ છે. આપણાં સ્થૂલ બાહ્ય શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મતર શરીર એ ત્રણે સાથે કામ કરે છે. આપણો ચેતનાવ્યાપાર આ ત્રણે શરીર સાથે સંકળાયેલો છે. જેમ આપણા પૂલ બાહ્ય શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન મગજ એટલે કે ચિત્ત છે, તેમ આપણા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન પણ ચિત્ત જ છે. ચિત્તનો આત્મા સાથે સંબંધ છે. આપણા સૂક્ષ્મ તેજસ શરીર સાથે ચેતનાના જે વ્યાપારો ચાલે છે તે વેશ્યા છે અને આપણા કામણ શરીર સાથે કે તે દ્વારા ચાલતા વ્યાપારો તે અધ્યવસાયો છે. અધ્યવસાયો અનુસાર લેગ્યા હોય છે. અધ્યવસાય બદલાય તો લેયા બદલાય. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લેયા કે તેને મળતી વિચારણા થયેલી છે. મહાભારના “શાન્તિપર્વની “વૃત્રગીતામાં કહ્યું છે : षड् जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्तं पुन; सह्यातरं सुखं तु हारिद्रवर्णं सुसुखं च शुक्लम् ॥ મહાભારતમાં વર્ણ (રંગ) અનુસાર જીવના છ વિભાગ પાડવામાં આવ્યા છે : આ છ વર્ષ છે-કૃષ્ણ, ધૂમ, નીલ, રક્ત, હાદ્રિ તથા શુક્લ. એમાં કૃષ્ણ વર્ણવાળા જીવ ઓછામાં ઓછું સુખ પામે છે. ધૂમ વર્ણવાળા જીવો એનાથી કંઈક અધિક તથા નીલ વર્ણવાળા મધ્યમ સુખ પામે છે. રક્ત વર્ણવાળા સુખ-દુઃખ સહન કરવાને યોગ્ય લેશિયા - ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy