SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવલેયા અવર્ણી, અગંધી, અરસી, અરૂ. હોય છે. ભાવલેયા અગુરુલઘુ છે. ભાવલેશ્યા પરસ્પરમાં પરિણમન કરે છે. ભાવલેશ્યા કર્મ બંધનમાં કોઈ પ્રકારે હેતુરૂપ છે. એટલે ભાવલેશ્યા સુગતિનો હેતુ બની શકે છે અને દુર્ગતિનો હેતુ પણ બની શકે છે. દ્રવ્યલેશ્વા ભાવલેગ્યા અનુસાર જ હોય છે. છએ વેશ્યાઓ સૂક્ષ્મ હોવાથી છપધસ્થને અગોચર હોય છે. - ઉત્તરાધ્યયનસૂત્રમાં એના ચોત્રીસમા અધ્યયનમાં આ છ વેશ્યાનાં લક્ષણો આપ્યાં છે. એમાં કૃષ્ણલેશ્યાનાં લક્ષણઓ નીચે પ્રમાણે આપ્યાં છે : पंचसवप्पवत्तो तीहिं अगुत्तो छसु अविरओ य। तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो ॥ निद्धन्धसपरिणामो निस्संसो अजिइंदिओ । __ एयजोगसमाउत्तो किण्हलेसं तु परिणमे ॥ જે મનુષ્ય પાંચ આશ્રવ (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)માં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિમાં અગુપ્ત છે, છ કાયની હિંસાથી નહિ વિરમેલા, તીવ્ર આરંભનાં પરિણામવાળો છે, ક્ષુદ્ર, વગર વિચારે કાર્ય કરનાર સાહસિક છે, કૂર પરિણામવાળો, નૃશંસ (કુટિલ ભાવવાળો) અને અજિતેન્દ્રિય છે – આ બધાથી જોડાયેલો તે જીવ કૃષ્ણલયાનાં પરિણામવાળો છે.] નીલ લેગ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : इस्सा अमरिसअतवो अविज्जमाया अहीरिया य । गेही पओसे य सद्धे पमत्ते रसलोलुए साय गवेसए य ॥ आरंभाओ अविरओ खुद्दो साहसिओ नरो । एयजोगसमाउत्तो नीललेसं तु परिणमे ॥ જે મનુષ્ય ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વૃદ્ધ, દ્વેષી, શેઠ, પ્રમત્ત, રસલોલુપ, સુખ શોધનાર (સ્વાર્થી), આરંભ કરવામાં ન અટકનાર, સુદ્ર, સાહિસિક તથા આ બધામાં જોડાયેલો છે તે નીલલયામાં પરિણત થાય છે.] કાપોતલયાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : वंके वंकसमायारे नियडिल्ले अणुज्जुए। पलि चंग ओवहिए मिच्छदिट्ठी अणारिए॥ उप्फालगदुट्ठवाई य, तेने यावि य मच्छरी। एयजोगसमाउत्तो काउलेसं तु परिणमे ॥ જે મનુષ્ય વાણી અને આચરણમાં વક્ર છે, કપટી છે, અસરળ, દોષોને છુપાવનાર, અભિમાની, પરિગ્રહી, મિથ્યાષ્ટિ, અનાર્ય, દુષ્ટ વચન બોલનાર, ચોર, મત્સરી છે – આ બધાંથી જે યુક્ત હોય છે તે કાપોતલેગ્યામાં પરિણત થાય છે.] લેશિયા ૨૨૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy