SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો તે તેને હવે છેલ્લો એક પરાવર્ત કરવાનો બાકી રહે છે. એવા જીવો ચરમ (છેલ્લા) આવર્ત પરાવર્તમાં આવેલા હોવાથી તેઓ ચ૨માવર્તી જીવ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં (શ્લોક ૭૨) જણાવ્યું છે : चरमे पुद्गल - परावर्ते यतो यः शुकलपाक्षिकः । भिन्नग्रन्थिञ्चरित्री ૬, तत्सैवेतदुदाहृतम् ।. [છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં વર્તતો જીવ શુક્લ પાક્ષિક જાણવો. તે જ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે એ પ્રમાણે કહેલું છે.] જે જીવોને સંસા૨પરિભ્રમણમાં એક વખત ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થાય છે તો તે જીવો દેશઉણ અડધા પુદ્ગલપરાવર્તમાં આવી જાય છે. ભવસ્થિતિ અનુસાર વચ્ચે કદાચ કોઈનું સમકિત ચાલ્યું ગયું હોય તોપણ તે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ભવભ્રમણ કરવાનો રહે છે. જેમ સમકિત નિર્મળ થતું જાય તેમ ભવ ઓછા કરવાના રહે. એટલે આપણે ‘શ્રી પુદ્ગલપરાવર્તીસ્તવ'ના રચનાર મહાત્માએ એમાં અંતે જે પ્રાર્થના કરી છે તે જ પ્રાર્થના કરીએ : नाना पुद्गल पुद्गलावलि परावर्तानन्तानहं, परंपूरमियचिरं कियदशं वाढं द्रढं नोढवान् दृष्ट्वा दृष्टचरं भवन्तमधुना भक्तयार्थयामि प्रभो, तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयः श्रयिं प्रापय ॥ [અનેક પુદ્ગલ પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવર્ત સુધી ભમીભમીને હે પ્રભુ ! હું ઘણું દુઃખ પામ્યો છું. હવે આપણે દૃષ્ટિવડે નિહાળવાથી ભક્તિથી પ્રાર્થના કરું છું કે મને દુઃખ (ઞશં) થી છોડાવો. આપનું ચારિત્ર મને રુચે અને કલ્યાણરૂપી મોક્ષરૂપી) લક્ષ્મીનું હું પ્રાપ્ત કરું.] Jain Education International ૨૧૬ જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy