SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા સામાન્ય રીતે જોઈએ તો દરેક વ્યક્તિના ચહેરા ઉપર એમની ચામડીના વર્ણ ઉપરાંત કંઈક ચમક, ઝાંય કે આભા જેવું કશુંક વરતાય છે. બધા માણસોની પ્રકૃતિ, વિચારધારા, ભાવના ઇત્યાદિ એકસરખાં નથી હોતાં. અને એકના એક માણસના વિચારો, ભાવો, ઈત્યાદિમાં પણ વખતોવખત પરિવર્તન આવે છે અને તદનુસાર આ આભા બદલાતી દેખાય છે. એક ધૂપસળીમાંથી જેમ સતત ધૂમ્રસેર નીકળતી રહે છે અને એ વધતી ઘટતી કે વળાંકો લેતી રહે છે તેવી રીતે મનુષ્યના ચિત્તમાંથી વિચારધારા, ભાવતરંગ અવિરત વહ્યા કરે છે અને તેવો પ્રભાવ એના ચહેરા ઉપર, મસ્તક ઉપર અને અનુક્રમે સમગ્ર શરીર ઉપર પડે છે. આ ભાવતરંગ અનુસાર એની સાથે વિવિધ રંગનાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પુદ્ગલ પરમાણુઓ પણ નીકળે છે અને વિશેષત: મસ્તકમાં અને અનુક્રમે સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. સામાન્ય અર્થમાં સમજવા માટે આ ભાવધારા અને પુગલ પરમાણુઓને લેગ્યા કહેવામાં આવે છે. લેયા' જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. એનો સંબંધ મનમાં ઊઠતા ભાવોની સાથે, આત્મામાં ઉદ્ભવતા અધ્યવસાયોની સાથે છે. વળી વેશ્યાનો સંબંધ વિવિધ અધ્યવસાયો સાથે ઉદ્ભવતા-પરિણમતા વિવિધરંગી પુગલ પરમાણુઓ સાથે પણ છે. આ પુલ પરમાણુઓને દ્રવ્યલેયા કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલા ભાવો, અધ્યવસાયોને ભાવલેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા' શબ્દના જુદા જુદા સામાન્ય અર્થ થાય છે, જેમ કે લેગ્યા એટલે તેજ, જ્યોતિ, કિરણ, જ્વાળા, દીપ્તિ, બિલ્બ, સૌન્દર્ય, સુખ, વર્ણ ઈત્યાદિ. લેશ્યા શબ્દના વિશેષ અર્થ થાય છે અધ્યવસાય, અંતઃકરણની વૃત્તિ, આત્મપરિણામ, અંતર્ગતની ચેતના, આભમંડળ, આત્મપરિણામ માટે નિમિત્તભૂત દ્રવ્યવિશેષ. પ્રાકૃતમાં લેસ્સા' શબ્દ વપરાય છે. “લેસ્સા' શબ્દ “સુ” ઉપરથી વ્યુત્પન્ન કરાય છે. “લમ્' એટલે ચમકવું. વેશ્યા જ ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy