SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજવાઈ સૂત્રમાં સિદ્ધ' વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યો છે. कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइष्ठिया कहिं वोटिं चइत्ताणं कत्थ गंतुणु सिज्झइ ॥ હે ભગવાન ! સિદ્ધ ભગવાન ક્યાં જઈને થોભ્યા છે? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સ્થિર રહ્યા છે ? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડ્યું છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સિદ્ધ થયા છે ? अलोए पडिहया सिद्धा लोयग्गेय पइठ्ठिया । इहं वोदि चइत्ताणं तत्थ गंतूण सिज्झइ ॥ | હિ શિષ્ય ! અલોક આગળ સિદ્ધ ભગવાન થોભ્યા છે. લોકના અગ્રભાગમાં પહોંચીને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલા છે. સિદ્ધભગવાને આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે પહોંચીને સિદ્ધ થયા છે.] જીવ આઠ કર્મનો ક્ષય કરી ઊર્ધ્વગતિ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્રે બિરાજે છે. કોઈકને પ્રશ્ન થાય કે તે લોકાગ્રે જ શા માટે બિરાજે છે ? તેનું કારણ એ છે કે ઊર્ધ્વગતિ કરવી એ કર્મમળથી સર્વથા મુક્ત થઈને વિશુદ્ધ બનેલા આત્માનો સ્વભાવ છે. આત્મા લોકાગ્રે અટકી જાય છે, કારણ કે ગતિમાં સહાય કરનારું ધમસ્તિકાય તત્ત્વ અને સ્થિતિમાં સહાય કરનારું અધર્માસ્તિકાય તત્ત્વ ફક્ત ચૌદ રાજમય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલે જીવલોકના અગ્રભાગે પહોંચીને અટકી જાય છે. સિદ્ધ બનેલો જીવ જ્યારે એનું ચરમ શરીર છોડે છે ત્યારે એ શરીરના ૨/૩ ભાગ જેટલી એની આત્મજ્યોતિ-અવગાહના પોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેવું.) લોકાંતે બિરાજે છે. સિદ્ધ બનેલા બધા જીવોનાં ચરમ શરીર એકસરખાં માપનાં નથી હોતાં; નાનાંમોટાં હોય છે. એટલે દરેકની અવગાહના એકસરખા માપની નથી હોતી, પરંતુ નાની મોટી હોય છે. હવે સિદ્ધનાં જીવો જ્યારે ઊર્ધ્વગતિ કરે છે ત્યારે તેમનું મસ્તક ઉપર હોય છે એટલે જ્યાં લોક પૂરો થાય છે અને અલોક શરૂ થાય છે, ત્યાં એમનું મસ્તક અડે છે. એટલે જ આપણે તીર્થંકર પરમાત્માની નવાંગી પૂજા કરતી વખતે, મસ્તકે તિલક કરતાં એનો મહિમા ગાઈએ છીએ કે : સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત વસિયા તેને કારણે ભવિ શિરશિખા પૂજત. આ રીતે સિદ્ધશિલાનું આખું દશ્ય જો નજર સમક્ષ કરીએ તો અનંત આત્મજ્યોતિઓનો મસ્તકનો ઉપરનો ભાગ લોકના અંતની લીટી એ એકસરખો અડીને રહેલો છે. તેમાં મસ્તકાકાર નાનામોટા છે, પરંતુ તે બધા એકસરખા એક રેખાએ અડીને રહેલા છે. પરંતુ મસ્તકની નીચેના શરીરની અવગાહનાનો ભાગ બધાંનો એકસરખો નથી, કારણ કે દરેકનું ચરમ દેહપ્રમાણ એકસરખું નથી અને ૧૨૦ ક જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy