SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તે સ્થિર, અચલ થઈ જાય છે. ત્યાંથી એને હવે પાછા સંસારમાં ફરવાનું નથી. મોક્ષે ગયેલા આત્માઓને પાછું ફરવાનું નથી એ તત્ત્વ અન્ય કેટલાંક દર્શનોને પણ માન્ય છે. બૃહદ્ આરણ્યક ઉપનિષમાં કહ્યું છે: तेषु ब्रह्मलोकेषु परापरावतो वसन्ति । तेषां न पुनरावृत्तिः । એ બ્રહ્મલોકમાં મુક્ત આત્માઓ અનંતકાળ સુધી નિવાસ કરે છે. તેઓનું સંસારમાં પુનરાગમન થતું નથી.] એવી જ રીતે પ્રશ્રોપનિષદૂમાં પણ કહ્યું છે કે મુક્ત આત્માઓ ત્યાં જાય છે કે જ્યાંથી સંસારમાં પણ પાછા આવવાનું હોતું નથી. एतस्मान्न पुनरावर्तन्ते । એ સ્થાનથી મુક્ત આત્માઓ ફરીથી ભવભ્રમણમાં આવતા નથી.] હિંદુ ધર્મમાં મુક્તાત્માઓના આ સ્થાનને બ્રહ્મલોક તરીકે ઓળખવામાં આવે છે. જૈન દર્શનમાં સમગ્ર વિશ્વનો નકશો આપી તેમાં સિદ્ધશિલાનું સ્થાન બતાવવામાં આવ્યું છે. કેવી છે આ સિદ્ધશિલા ? શાસ્ત્રકારો વર્ણવે છે : तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा । प्राग्भार् नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ॥ (અંતિમોપદેશ કારિકા) महाउज्जवल निर्मल गोक्षीरहार संकास पांडुरा । उत्तान छत्र संस्थान संस्थिता भणिता जिनवरेन्द्रैः ॥ एदाए बहुमज्झे श्वेतं णामेण ईसिपणारं । अज्जुण सुवण्ण सरिसं णाणारयणेहिं परिपुण्णं ।. उत्ताणधवल छत्तोवमाण संहाणसुंदर एदं । पंचत्तालं जोयणया अंगुलं पि यंताम्मि । તિલોયપણત્તિ) સિદ્ધશિલાને પ્રાભાર અથવા ઇશપ્રાભાર પણ કહેવામાં આવે છે. સિદ્ધશિલા માટે બીજાં પણ કેટલાંક નામો છે, જેમ કે (૧) ઇસીતિવા, (૨) ઇસીપ્રભારાતિવા, (૩) તકૃતિવા, (૪) તણુયરિયતિવા, (૫) સિદ્ધિતિવા, (૬) સિદ્ધાલયતિવા, (૭) મુત્તિતિવા, (૮) મુત્તાશયતિવા, (૯) લોયગ્ગતિવા, (૧૦) લોયગ્ન યુભિયાતિવા, (૧૧) લોયગ્ન બુઝમાનતિવા, (૧૨) સવ્વપાણભૂયજીવ સત્ત સુહાવહાતિવા ૧૧૮ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy