SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રોમાં નમો પદ છેલ્લે આવતું હોય એવાં ઉદાહરણો પણ મળશે. પણ એકંદરે આદ્ય પદ તરીકેનો વિશેષ પ્રચલિત છે. સ્વરભંજનની દૃષ્ટિએ નમો શબ્દનું વિશ્લેષણ થયું છે. “મન” શબ્દમાં બે સ્વરયુક્ત વ્યંજન છે. ઃ મ અને ન. આ બંને વ્યંજનોનો જ્યારે વિપર્યય કે વ્યત્યય થાય છે ત્યારે શબ્દ બને છે ‘નમ.’ આ સ્થૂલ ક્રિયાને સૂક્ષ્મ રીતે ઘટાવીને કહેવામાં આવે છે કે જ્યારે બહિર્મુખ રહેતા મનને અંદર વાળવામાં આવે, મન અંતર્મુખ જ્યારે બને ત્યારે મન'નું ‘નમ’ થાય છે. નમો (મો)ને ઊલટાવવાથી મોન (મોળ) થશે. મોન (મોણ) એટલે મુનિપણું. મનને સંસા૨ ત૨ફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે. એટલે નો પદ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે. મોનનો અર્થ જો મૌન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે. ‘નમો’ પદમાં ૐૐ કા૨ અંતર્ગત રહેલો છે. નમો પદના સ્વરવ્યંજન છૂટા પાડીએ તો તે આ પ્રમાણે થાય : +ગ+મૂ+ો. આ સ્વરવ્યંજનનો વિપર્યય કરીએ તો આ પ્રમાણે થશે ઃ ગો+મ્++ન. આમાં પ્રથમ બે વર્ણ તે ઓમ્ = છે. આમ નમો પદમાં મંત્રબીજ ૐ કારનો સમાવેશ થયેલો છે. હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે કે ‘ન' અક્ષર સૂર્યવાચક છે અને “મ” અક્ષર ચંદ્રવાચક છે. એટલે ‘નમો’માં ‘ન’ સૂર્યવાચક છે અને મો' ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં આત્માને માટે સૂર્યની ઉપમા છે અને મનને માટે ચંદ્રની ઉપમા છે. એટલે ‘નમો'માં પ્રથમ આત્માનું સ્થાન છે અને પછી મનનું સ્થાન છે અર્થાત્ મન કરતાં આત્મા સર્વોપરિ છે. મન એટલે સંસાર અને આત્મા એટલે મોક્ષ. એટલે નમો પદ સૂચવે છે કે મન અને મનના વિસ્તારરૂપ કાયા, વચન, કુટુંબ પરિવાર, માલમિલકત ઇત્યાદિ ક૨તાં આત્માનું પ્રાધાન્ય સ્વીકારવું. મતલબ કે ત્રણે કરણ અને ત્રણ યોગને આત્મભાવથી ભાવિત કરવા જોઈએ. વ્યાકરણની દૃષ્ટિએ નો પદ નૈપાતિકપદ છે એટલે કે અવ્યય છે. નમો અવ્યય છે. અને તે અસ્ત્યય અર્થાત્ જેનો ક્યારેય વ્યય અથવા નાશ થતો નથી એવા મોક્ષપદ સાથે જોડાણ કરાવી આપે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરાવી આપે છે. આમ નમો એટલે અવ્યયનું અવ્યય સાથે અનુસંધાન. નમો પદની વ્યાખ્યા આપતાં નિર્યુક્તિકારે કહ્યું છે : નવ્ય-ભાવ-સંજોગળપયો. એટલે નમો પદનો અર્થ થાય છે દ્રવ્ય અને ભાવનો સંકોચ.' આ વ્યાખ્યાનો વિસ્તા૨ ક૨તાં શ્રી હરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તરા–ચૈત્યવંદન વૃત્તિમાં કહ્યું છે : ર્૭૨ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy