SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્ર મંત્ર છે એટલે મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ન અને નો વિચાર કરાય છે. મંત્રશાસ્ત્રમાં ૬ નાં ૩૫ નામ આપવામાં આવ્યાં છે અને છ નાં ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યાં છે. ‘વૃત્તરત્નાકર'માં માતૃકા અક્ષરોનાં જે શુભ કે અશુભ ફળ દર્શાવવામાં આવ્યાં છે તે પ્રમાણે રૂ શ્રમ કરાવનાર છે અને ન સંતોષ આપનાર છે. આમ નવકા૨મંત્રમાં નમો પદ વધુ પ્રચલિત છે. પરંતુ ધ્યાન ધરવા માટે મો પદની ભલામણ થાય છે. આપણાં આગમોમાં સર્વ પ્રથમ પંચમંગલ સૂત્ર છે એટલે કે નવકારમંત્ર છે. એટલે કે સર્વ શ્રુત સાહિત્યનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થયો છે અને નમસ્કાર મહામંત્રનો પ્રારંભ નો શબ્દથી થયો છે. એટલે સર્વ આગમસાહિત્યમાં, શ્રુતસાહિત્યમાં પ્રથમ શબ્દ છે નમો. એટલે નો પદનું માહાત્મ્ય અને ગૌરવ કેટલું બધું છે તે આના પરથી જોઈ શકાશે. જેમણે પણ શ્રુતસાહિત્યનું અધ્યયન કરવું હશે તેમણે પહેલો શબ્દ ઉચ્ચારવો પડશે નમો અથવા નો. એમનામાં નમોનો ભાવ આવવો જોઈશે. એટલા માટે નોને શ્રુતસાહિત્યના, જિનાગમોના, ધર્મના પ્રવેશદ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. મિથ્યાત્વી જીવ ભાવરુચિપૂર્વક આ નો પદ સુધી પણ પહોંચી શકતો નથી. નમો પદને મંગલસ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે મંગલ ત્રણ પ્રકારનાં છે ઃ (૧) આશીર્વાદાત્મક, (૨) નમસ્કારાત્મક અને (૩) વસ્તુનિર્દેશાત્મક. ‘નમો અરિહંતાણં', ‘નમો સિદ્ધાણં' વગેરેમાં ‘નમો' શબ્દ નમસ્કારની ક્રિયાને સૂચવતો હોવાથી મંગલરૂપ છે. નવકા૨મંત્રમાં નમો અરિહંતાણં વગેરેમાં નમો પદ અરિહંત, સિદ્ધ વગેરે પાંચે પરમેષ્ઠિની પહેલાં કેમ મૂકવામાં આવ્યું છે એવો પ્રશ્ન કેટલીક વાર થાય છે. નમો પદ પછી મૂકવામાં આવે એટલે કે રિહંતાણં નમો એમ ન બોલાય ? કારણ કે એથી વ્યાક૨ણની દૃષ્ટિએ તથા અર્થની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. એનો ઉત્તર એ છે કે સૂત્ર કે મંત્રમાં નમો પદ પહેલાં મૂકવાની પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરા છે. એથી લય સચવાય છે અને ભાવ આવે છે. મંત્રવિદોને પોતાની સાધના દ્વારા થયેલી અનુભૂતિ પ્રમાણે ‘નમો’ પદ પહેલાં મૂકવાની પ્રણાલિકા અત્યંત પ્રાચીન સમયથી ચાલુ થયેલી છે. આપણે ત્યાં ‘નમોત્પુર્ણ (નમુત્યુર્ણ)”માં, ‘નમોસ્તુ વર્ધમાનાય’માં, ‘નમો ભગવતે પાર્શ્વનાથાય’ વગેરેમાં તથા અન્ય દર્શનોમાં પણ નમો ભગવતે વાસુદેવાય’ ઇત્યાદિમાં ‘નમો' પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. મંત્રો કે Jain Education International નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy