SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારેક પ્રશ્ન થાય છે કે નમો પદ અને પ્રો એ બેમાં કયું સાચું ? તેનો ઉત્તર એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં પણ થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. પ્રાકૃત પ્રકાશમાં કહ્યું છે ‘નો આ સર્વત્ર'- એટલે જ્યાં ન હોય ત્યાં બધે પ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં ન નો થવો જોઈએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે. અપવાદ એ છે કે શબ્દના આરંભમાં જો વ્યંજન હોય તો બનો વિકલ્પ થાય છે. એટલે કે જનો થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે “શબ્દાનુશાસન' વ્યાકરણમાં “વાલો' સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત નો વિકલ્પ જ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો જ ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંતુ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. ન દત્ય વ્યંજન છે અને મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે. એટલે જ ર અને પ વિકલ્પ છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને ગમો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો રિહંતાપ છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ “નમો’ શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે “નમસ્કાર મહાભ્ય’ પ્રાકૃતમાં રચના કરી છે તેમાં “નમો પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ “ભગવતીસૂત્રમાં જનમો રિહંતામાં છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને મને એ બંને પદો વિકલ્પ પ્રયોજાય છે, એટલે બંને સાચાં છે. તેવી રીતે નમુક્કારો અને મુક્કારો - મોરારી બંને સાચાં છે. - નવકારમંત્રના પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર ન અથવા જ છે પરંતુ છેલ્લો અક્ષર તો ઇ છે. એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. ન અથવા અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે નનું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથન વગેરે નૃત્યના પ્રકારોમાં નાના ઉપયોગથી, આવર્તનથી નનન... નન.. થી ઓજસ્ વધે છે. યોગીઓ કહે છે કે નના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ જ દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે અને તેથી મંગલસ્વરૂપ માનવામાં આવે છે. આમ નમો અને મો બંને પદ સુયોગ્ય છે. જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy