________________
અથ શ્રી પાંચ સંવત્સર, તીથી વિગેરે. ( ૨૧૧ ) કે મુળ; અષાડે પુર્વાષાઢા કે ઉત્તરાષાઢા; એ નક્ષત્ર કહ્યાં તેમાંથી ગમે તે એક નક્ષત્ર પુનમે દ્વેગ જોડે.
હવે અમાસનાં નક્ષત્ર કહે છે. શ્રાવણ વદી અમાસે અશ્લેષા કે મઘા એ બેમાંથી એક હાય; ભાદરવા વદી અમાસે પુર્વાફાલ્ગુણી કે ઉત્તરાફાલ્ગુણી હાય; આસા વદી અમાસે હસ્ત કે ચિત્રા હાય; કારતક વદી અમાસે સ્વાંતિ કે વિશાખા હોય; માગશર વદી અમાસે અનુરાધા, જ્યેષ્ઠા કે મુળ હૈાય; પાષ વદી અમાસે પુર્વાષાઢા કે ઉત્તરાષાઢા હાય; મહા વદી અમાસે અભીચ, શ્રવણુ કે ધનિષ્ટા હોય; ફાગણ વદી અમાસે સતભીષા, પૂર્વાભાદ્રપદ કે ઉત્તરાભાદ્રપદ હોય; ચૈત્ર વદી અમાસે રેવતી કે અશ્વની હોય; વૈશાખ વદી અમાસે ભરણી કે કૃતિકા હોય; જેઠ વદી અમાસે રહિણી કે મૃગશર હોય; અશાડ વદી અમાસે આર્દ્રા, પુનર્વસુ કે પુષ્પ હાય.
હવે જ્યારે શ્રાવણની પુનમે જે નક્ષત્ર હોય તેજ નક્ષત્ર મહા વદી અમાસે હાય; એમજ મહાની પુનમે જે નક્ષત્ર હાય તેજ નક્ષત્ર શ્રાવણુની અમાસે હોય. એ પ્રમાણે પુનમે પુનમે તથા અમાસે અમાસે એમ બબ્બે મહીનાને માંતરે એના એજ નક્ષત્ર આવે.
अथ श्री ठाणांग सूत्रमां ज्ञान भणवानां दस नक्षत्र कह्यां छे तेनां नाम.
૧ મૃગશર, ૨ આદ્ર, ૩ પુષ્ય, ૪ પૂર્વાષાઢા, પ પૂ ભાદ્રપદ, દ્ પૂર્વા ફાલ્ગુણી, ૭ મુલ, ૮ અશ્લેષા, ૯ હસ્ત, ૧૦ ચિત્રા, એ દસ નક્ષત્રમાં જ્ઞાન ભણવાના અભ્યાસ કરે તા જ્ઞાનની વૃદ્ધિ થાય, અને વિાના નાશ થાય; માટે એ નક્ષત્રમાં જ્ઞાન ભગવું શ્રેષ્ટ છે. એમ કેવળજ્ઞાની કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org