________________
છે, તેમ વૈદિક, બૌદ્ધ કે જૈન પરંપરાના મહર્ષિઓએ પ્રત્યેક સોપાન શ્રેણિ સર કરવા માટે ધ્યાન માગનું નિરૂપણ કર્યું છે.
સામાન્યરીતે આપણે પ્રવૃત્તિ વિના બેઠાં જ હોઈએ ત્યારે પણ કંઈ ને કંઈ વિચારોને પ્રવાહ વહેતે જ હાય. છે. આધુનિક માનસશાસ્ત્રીઓના મત મુજબ તે પ્રવૃત્તિમાં પણ, વિચારોને પ્રવાહ અખ્ખલિત વહે જ છે, જેમાંના મોટાભાગના વિચારોની આપણને જાણ નથી હોતી. એ માટે આપણે જાગૃત (conscious) હોઈએ તે જ સાચે. ખ્યાલ આવે.
આ મને વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર, આપણી પ્રાચીન પરંપરાઓએ વિચારેના વહેતા અખલિત પ્રવાહ પર જાગરુકતા દાખવવાનું, નઠારા વિચારોને રોકવાનું, જે કર્મરાજાના સકંજામાં સપડાયા છીએ તેમાંથી યેનકેન પ્રકારે છૂટવાનું અને જે ધ્યેય છે તેનું સ્વરૂપ કલ્પવાનું તેમ જ જે ધ્યેય છે તે હું જ પિતે છું, ‘મદ ગ્રહ્માદિ' એવી. પ્રતીતિ કરવાનું ધ્યાનમાર્ગ દ્વારા સૂચવ્યું છે.
જૈન પરંપરામાં સમદશ આચાર્ય હરિભદ્ર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને આચાર્ય શુભચંદ્રગણિએ પિતપિતાની રીતે, જુદી જુદી પરિભાષામાં ધ્યાન વિષે આલેખન કર્યું છે. આચાર્ય શુભચંદ્રગણિએ ચેલ જ્ઞાનાર્ણવ ગ્રંથના ૪૨ સર્ગ છે. તેમાં ૩૧મું સર્ગ પ્રસ્તુત પુસ્તક “સવીર્યધ્યાન” છે. સવર્ણ ધ્યાનમાં બે પ્રકરણ છે: (૧) ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ (સોળ લેક પ્રમાણ છે.) અને (૨) ધ્યેયસ્વરૂપ પ્રારંભ (પચ્ચીસ કલેક પ્રમાણ છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org