SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ WEERTAVAVIY KAVANAVAVIPAVADURAAVAVARI જ તેણે વિચાર્યું કે મારા ગુરુભાઈઓ – અન્ય સાધુજનો મન, વચન, કાયાના દંડથી કરી એ (યોગ) અનાસક્ત છે. હું તો તેમ કરી શકતો નથી માટે કપાળમાં ત્રિદંડનું ચિહ્ન આ કરવું. તથા તેઓ દ્રવ્ય અને ભાવથી મુંડિત – સંયમી છે. હું તેમ કરી શકતો નથી માટે આ મસ્તક પર ચોટલી રાખીશ. વળી હું તેમના જેવાં અહિંસાદિ પાળી શકતો નથી. તેથી એ વિલેપન, સ્નાન, છત્ર, પાવડી વગેરેનો ઉપયોગ કરીશ. મેં મોહને જીત્યો નથી, કષાયયુક્ત છું તેથી ભગવાં વસ્ત્ર ધારણ કરીશ. આવો વેશ ધારણ કરી તે ભગવાન ન છેસાથે વિહરવા લાગ્યો. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી પોતે જેને ઉપદેશ આપતો તેને એ કહેતો કે સાચો ધર્મ ભગવાન પાસે છે, અને દીક્ષા પણ તેમની પાસે અપાવતા. છે. ભગવાન ઋષભદેવ દીક્ષા ગ્રહણ કર્યા પછી છ માસ મૌન રહ્યા હતા. પ્રભુ કેવળજ્ઞાન છે. એ પામ્યા પછી મુનિઓ સાથે એક વાર અયોધ્યામાં પધાર્યા હતા. = કુળમદ તે કાળે તે સમયે ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવને વંદન કરવા આવ્યા હતા. તે સ ત્યારે તેમણે ભગવાનને ભક્તિ વડે પૂછવું કે હે પ્રભુ ! આ પર્ષદામાં કોઈ જીવ ભાવિ દલ છે તીર્થકર છે ? છે પ્રભુ – હે ભરત ! તારો પુત્ર મરીચિ આ જ આરાના અંતિમ કાળમાં અંતિમ આ તીર્થકર થશે, વળી તે ચક્રવર્તી, વાસુદેવ પણ થશે. તે પ્રભુના શ્રીમુખે આ વાત સાંભળી ભરત મહારાજા અતિ ઉલ્લસિત થયા અને છે મરીચિને વંદન કરવા ગયા. અને કહ્યું હે મરીચિ ! હું તમારા આ જન્મના આ િપરિવ્રાજકપણાના વેષને વંદન કરતો નથી, પણ સાંભળો, તમે ચક્રવર્તી અને વાસુદેવ ને 2 થશો, તથા ભગવાન મહાવીર નામે ભાવિ અંતિમ તીર્થકર થશો તેથી વંદન કરું છું. તે જે પ્રમાણે તેમની વારંવાર સ્તુતિ કરી ભરત મહારાજા વિદાય થયા. હું ભવિષ્યને કોણ મિથ્યા કરી શકે? જ્ઞાનીના જ્ઞાનમાં જે જીવનું જે ભવિતવ્ય હોય છે અને છે તે જણાય છે. પિતાના મુખે સાંભળેલી વાતને મરીચિ દુહરાવવા અને નાચવા લાગ્યો. છે અહો ! હું કેવો ભાગ્યવાન કે પ્રથમ વાસુદેવ થઈશ, ચક્રવર્તી થઈશ, અને છેલ્લો તીર્થંકર કે થઈશ. વળી મારું કુળ પણ કેવું ઉત્તમ છે ! હું પ્રથમ વાસુદેવ થઈશ. મારા પિતા પ્રથમ વાર ચક્રવર્તી થયા. મારા દાદા પ્રથમ તીર્થકર અને હું છેલ્લો તીર્થંકર થઈશ. વિના
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy