SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ એવો ભક્ત સર્વ જીવોનો મિત્ર હોય. એવો ભક્ત સૌના સુખમાં રાજી હોય. એવો ભક્ત અન્યના ગુણનો રાગી હોય. એવો ભક્ત શીલ અને સદાચારયુક્ત હોય. એવો ભક્ત સહિષ્ણુ અને સૌમ્ય હોય. એવો ભક્ત નમ્ર અને સંતોષી હોય. એવો ભક્ત સત્યભાષી અને સરળ હોય. એવો ભક્ત સ્વયં પ્રભુમય હોય. આ એક એક થરમૉમીટર રોજે મૂકી જિનમંદિરમાં દર્શનાર્થીએ પોતાની જાતનેટ્ટ તપાસી લેવી. ભક્તિ કેવળ શારીરિક કે વાચિક ક્રિયા નથી. પણ ભાવાત્મક જીવની ) 3 શુદ્ધ પરિણતિ છે, કે જે વડે સાધક મુક્તિની સમીપ પહોંચી શકે છે. છે ભક્તિનાં સાધન અને સ્થાનો વધ્યાં. પણ તે બધાં ફળદ્રુપ પણ નિઃસત્ત્વ ખેતી જેવાં છે કેમ નીવડે છે ? હાલ ઘણો અને સત્ત્વ નહિ એવું કેમ બને છે ? આપણે સૌએ સ્વને છે કેન્દ્રમાં રાખીને તેનો વિચાર કરવાનો છે કે આપણે ભક્તિ શાને માટે કરીએ છીએ ? થી દુઃખમુક્તિ માટે? દુઃખ શું છે ? સ્વરૂપનું અજ્ઞાન તે મહાદુઃખ છે. એક સ્વરૂપનું જ્ઞાન છેપ્રાપ્ત થાય તો સર્વ દુઃખ દૂર થઈ જાય છે તેને માટે ભક્તિનું પ્રયોજન છે. શું સારાંશઃ ચૈત્ય પરિપાટી: હું ગૃહસ્થજીવન ધર્મારાધના માટે સીમિત ક્ષેત્ર છે. છતાં ઉત્તમ જીવો જિનાજ્ઞાને # ધારણ કરીને ઉત્તમ ગૃહસ્થજીવન આરાધી મુક્તિ નજીક પહોંચવા જેવો પુરુષાર્થ કરીને છે ધન્ય થયા છે, થાય છે, અને થશે. એ માટે જ શ્રાવકને કર્તવ્યોનો ઉપદેશ કહ્યો છે. શ્રાવક કે ગૃહસ્થની આરાધના બે ક્રમમાં હોય છે. નિમિત્તધર્મ અને નિયમિતધર્મ હું પર્યુષણ પર્વની આરાધના અને તે નિમિત્તે દર્શાવેલાં અનુષ્ઠાનો નિમિત્તધર્મ છે. નિમિત્તધર્મને છે આરાધીને પાત્ર જીવોની રુચિ વિકાસ પામે છે. ત્યારે રુચિ અનુયાયી વીર્યના ન્યાયે તે હું જીવમાં ધર્મકર્તવ્ય વૃદ્ધિ પામે છે. }s:/૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy