SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કરે, છતાં તપના બદલામાં માન, ધન કે સુખ ઇચ્છે તો તે પણ નિયાણા સ્વરૂપ જ છે. - આવી ભૂલ નિવારવા જ આ દૃષ્ટાંત આપણને કંઈક શીખ આપે છે. નિઃશલ્યો વતીઃ છે એ સિદ્ધાંતની સિદ્ધિ માટે અત્યંતર તપ છે. બાહ્ય તપ જીવને કંઈ ભૂલથાપ આપી જ જાય છે. તેથી તેની શુદ્ધિ માટે અત્યંતર તપ કહ્યાં છે અથવા કહો કે અત્યંતર તપની છેરક્ષા માટે બાહ્ય તપ કહ્યાં છે. બંને તપની સાધના સહજતામાં પરિણમે તે નિર્જરા બને છે છે, જેમાં આહારસંજ્ઞાનું બળ ઘટે છે. સ્વાદનો ભાવ ક્ષીણ થાય છે. એવા સાહજિક તપસ્વીઓને સૂક્ષ્મ આહારથી તૃપ્તિ થાય છે. લૂખા પદાર્થો પણ તેમના મુખમાં અમી - પેદા કરે છે. તેથી તે સાધકો તપ કરતા નથી પણ તેમની આહાર સંજ્ઞાઓ શાંત થઈ રે જાય છે. છે છતાં જ્ઞાનીજનોએ જીવની બધી જ કક્ષાઓ ધ્યાનમાં લઈને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપના પ્રકારો દર્શાવ્યા છે. બાહ્ય તપ અને અત્યંતર તપ બે પ્રકારે છે. છે બાહ્ય તપ છ પ્રકારે છે આ અનશનઃ ચારે આહારની ક્રિયાથી અને આહાર સંજ્ઞાથી મર્યાદિત કે શક્ય તેટલો છે સમય મુક્ત રહેવું. ઉપવાસમાં કે અનશનમાં આહારક્રિયાથી તો મુક્ત રહેવાય છે, પણ $ આહાર સંજ્ઞાથી ત્યારે મુક્ત થવા જાગ્રત રહેવું પડે છે. નહિ તો તપની આગળપાછળનો છે. સમય સામાન્ય જીવોને આહારસંજ્ઞા આવરી લે છે. વાસ્તવમાં અનશન આકસ્મિક કે. છે સાહજિક હોય છે. સંકલ્પથી થયેલા તપની આગળપાછળ આહારનું ચિંતન રહે છે. હું અમુક તપ કરતાં પહેલાં અમુક ખોરાકની વ્યવસ્થા અને તપ પૂર્ણ થતાં વળી પાછી છે. ખોરાકની વ્યવસ્થા કરીએ છીએ, પરંતુ અનશન સ્વાભાવિક હોય છે, અથવા થવું .િ જોઈએ. જે ઊણોદરી : ભૂખનું પ્રમાણ નક્કી કરી, ભૂખ કરતાં થોડો ઓછો આહાર લેવો. છે. અર્થાતું અપૂર્ણ ખોરાક ગ્રહણ કરવો. મન જે પદાર્થની વિશેષ માગ કરે ત્યાંથી તેને છે. પાછું વાળવું, આ ક્રિયાનો આહાર ઉપરાંત બધી વૃત્તિઓ પર પ્રયોગ કરવો. કારણ કે જે પ્રત્યેક ઇન્દ્રિયને પોતાની માગ હોય છે. તે પ્રકારે આહાર લેતાં, એકાસન, બીઆસન lain Education International For Private & Personal Use Only www.jahinelibrary.org (.
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy