SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આજ્ઞામાં રહેલા શિષ્યો તે કાળે વિકલ્પ ન કરતાં પાછા ગયા, પથરા ઉપાડી લીધા, ફૂલહાર ચડાવીને શબને પહેલાંની જેમ ઢાંકી દીધું અને કબ્રસ્તાનમાં દાટી દીધું. પાછા ગુરુ પાસે આવી પહોંચ્યા. સંત : “શબને ફૂલહાર કરીને આવ્યા?” “હા.' શબ ખૂબ પ્રસન્ન થયું ? “ગુરુદેવ, શબ તો જેમનું તેમ જ હતું. પથરા માર્યા ત્યારે દુઃખી થયું ન હતું. ફૂલહાર કર્યા ત્યારે પ્રસન્ન થયું ન હતું કારણ કે તેનામાં પ્રાણ ન હતા.' સંત : “હે શિષ્યો ! તમે જાણો છો આ શરીર મૂળ શબ-જડનાં લક્ષણવાળું છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પણ અજ્ઞાનવશ જીવને માન-અપમાનમાં સુખદુઃખ લાગે છે. જો તમને આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો તમે ક્રોધાદિ કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરશો ? આત્માને શત્રુ નથી, મિત્ર નથી. આત્માનું સ્વરૂપ સહજ સ્થિતિમય છે. આ સર્વ ભેદ તો નામરૂપના આધારે છે. અર્થાત્ જો ક્રોધાદિ કષાયને નષ્ટ કરવા છે તો તમારે “આત્મા સ્વયં ક્ષમાસ્વરૂપ છે' તેમ બોધ ધારણ કરવો પડશે. આ સર્વ સાંયોગિક સંબંધો છે. પૂર્વે કે આ જન્મે સેવેલા શુભાશુભ ભાવનું પરિણામ જાહેર થયું છે. લખ્યા પ્રમાણે તે કર્મરૂપે વંચાય છે. તમને જો સત્ય તરફથી થતાં અપમાનાદિ નથી ગમતાં, તો તમે કોઈ પ્રત્યે એવું વર્તન ન કરશો. તો નવું દેવું ઊભું નહિ થાય. તમારું અપમાન થાય તો સહી લેજો, જૂનું દેવું ચૂકવાઈ જશે. ખાતું સરભર થઈ જતાં તમે કર્મથી રહિત થઈ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરશો. અન્ય પાસેથી અપેક્ષાઓના ગુણાંક આપણે ઘણા મોટા રાખીએ છીએ. પિતા, પુત્ર, પતિ, પત્ની, મિત્ર વગેરે અન્યોન્ય અપેક્ષા રાખીને દુઃખી થાય છે. જો ધારેલી અપેક્ષામાં ક્ષતિ આવે તો જીવ ક્રોધ-કષાયમાં પડે છે. પરંતુ જો જીવમાં એવી સમજ પેદા થાય કે બધું ધાર્યું થતું જ નથી. આખું જગત નિયમને આધીને વર્તે છે. તેમ તું અને તારાં સ્વજનો પણ નિયમને આધીન છો. બધું જ સારું નીવડે તેવી અપેક્ષા રાખ્યા છતાં પણ કંઈ વિપરીત થાય ત્યારે ક્ષમાભાવ ધારણ કરવાથી જીવનનો વિકાસ થાય છે, તેમાં કંઈ ગુમાવવા જેવું નથી. “આ બધું થવું કઠણ છે.” સંસારી જીવો માટે આવું ક્ષમાયુક્ત જીવન કઠણ છે. પણ ભાઈ, જો તારે સુખી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy