SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આથી જૈન દર્શનમાં દ્રષ્ટાઓએ ક્ષમાનું મૂલ્યાંકન ઘણું ઊંચું રાખ્યું છે. કદાચ એવું બને કે તમે અન્ય જીવને ક્ષમા આપો, પરંતુ તે જીવ તમારી ક્ષમા ન સ્વીકારે, ત્યારે તમારા મનમાં કંઈ અભાવ પેદા ન થાય તો તમારી ક્ષમા ઉત્તમ છે. ક્ષમાને યતિધર્મનું લક્ષણ કહ્યું છે, એ જ તેની ઉત્તમતા દર્શાવે છે. યતિઓ, સાધકો કે સાધુઓ જ્યારે ક્ષમાધર્મ ધારણ કરે છે ત્યારે તેનું પ્રાણાતે પણ પાલન કરે છે. પરંતુ જ્યારે અહંને પરવશ જીવ યતિ હો કે સાધુ હો ભૂલ ખાઈ જાય છે, ત્યારે પરદોષ જોઈને સમાધાન શોધી લે છે. પણ કર્મ તો ભૂલથાપ ખાતું નથી. વેરથી વેર શમતું નથી, પરંતુ તેનાં મૂળ જમીનમાં જડ કરી પ્રસરી જાય છે. અર્થાત્ જન્મોજન્મ સુધી તે સંસ્કાર વિસ્તરતો જાય છે. અને જો તેને કોઈ સત્તાનો યોગ મળ્યો તો તે પ્રકૃતિ તીવ્રતમ બની જાય છે. અંતરની મલિનતાનું પ્રક્ષાલન કરનાર ક્ષમા એ નિર્મળ નીર છે. અતિ તૃષાતુરને જેમ નીર ઠંડક આપે છે, તેમ ક્ષમાભાવ અંતરને અત્યંત શીતળતા આપે છે. પ્રારંભમાં તમને એમ થશે કે નાહકનું સહન કર્યું. પરંતુ સુભદ્રા, અંજના, સીતા કે અનુપમા જેવી પવિત્ર, ક્ષમાવાન નારીઓને સ્મૃતિમાં લાવજો, તમારી નાનીસરખી ક્ષમાની ભાવના તમને પ્રસન્નતા આપશે. ઉત્તમ ક્ષમા ધારણ કરવા માટે જીવને પ્રેરક બળ જોઈએ છે. મૂર્તિને આકર્ષક બનાવવા જેમ ટાંકણાં પડે, ઓપ ચડે, શણગાર સજાવવામાં આવે, તેમ આ જીવનું ઘડતર કરવામાં આવા ગુણો કેળવવા માટે સંતો, સત્સમાગમ, સલ્ફાસ્ત્ર અને સુવિચાર આવશ્યક છે, ત્યારે જીવમાં ક્ષમા જેવા ગુણો કે સદાચારનું બળ ટકે છે. ક્ષમાગુણ ધારણ કરવા જીવની અંતરભૂમિકા નક્કર જોઈએ છે. વિચલિત મનવાળો ક્ષમાને ધારણ કરી શકતો નથી. નાનોસરખો પ્રસંગ પણ તેને અકળાવી મૂકે છે. અને તેથી અન્ય ઉપર દોષારોપણ કરીને જીવનને તનાવયુક્ત કરી નાખે છે. ભાઈ ! ક્ષમાભાવમાં કેટલી હળવાશ છે ! પાણીમાં લીટી દોરો, ક્ષણવાર પછી ત્યાં કોઈ રેખા નહિ દેખાય. ક્ષમાગુણની હળવાશથી ચિત્તમાં કોઈ ઉત્તેજનાની, આવેગની રેખા નહિ પડે કે જે તમને વિકલ્પોથી અકળાવી મૂકે. બધા દોષોને પુષ્ટ કરનાર ક્ષમાભાવને હાર આપનાર અહે છે, છતાં જીવ તેમાં પોતાની વિશેષતા માને છે. અહ, ગુણને પણ દોષમાં ખેંચી જાય છે. તમે સત્કાર્ય કર્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy