SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જો પગમાં જોરથી દંશ દીધો. તેના કાતિલ ઝેરની અસર થવાથી હાથી મૂછિત થઈને ત્યાં છે જ ઢળી પડ્યો. પણ હવે તેની પાસે સમ્યગુદર્શનરૂપી ગુરુચાવી હતી. તેથી જે કાર્ય ? મરુભૂતિના મનુષ્યજન્મમાં કરી ન શક્યો તે કાર્ય તિર્યંચના ભવમાં કરી શક્યો, સર્પના નું કૃત્ય પ્રત્યે અનુકંપા રાખી પોતાના જીવ પ્રત્યે સમતાનાં પરિણામોને ટકાવી તિર્યંચનો છે દેહ ત્યજી તે દેવલોકમાં ઉત્પન્ન થયો. - ત્રીજો ભવઃ વર્ગ અને નરક જે કમઠનો જીવ માઠા પરિણામથી સર્પયોનિ પામ્યો હતો, પૂરું જીવન વિષ વમતો = રહ્યો. નવાં કર્મ ઉપાર્જન કરીને નરકગતિમાં પ્રયાણ કરી ગયો, અને અનંત યાતના છે. ભોગવવા લાગ્યો. હાથી અને સર્પ બંનેના દેહ તો તિર્યંચના હતા, છતાં શુભાશુભ ભાવ પ્રમાણે પરિણામ નીપજ્યુ. છે. હાથી પોતાના શુભ પરિણામના ફળસ્વરૂપે દેવલોક પામ્યો અને સર્પ દુષ્ટ છે પરિણામના યોગે નરકગતિ પામ્યો. મેં ચોથો ભવ : વિધાધર અને અજગર મરુભૂતિનો જીવ દેવલોકનું આયુષ્ય સુખપૂર્વક નિર્ગમન કરી વિદેહક્ષેત્રમાં વિદ્યગતિ વિદ્યાધરની રાણી વિદ્યુતમાળાની કૂખે અગ્નિવેગ નામે પુત્ર તરીકે જન્મ પામ્યો, પરંતુ દોરે છે પરોવેલી સોય ખોવાઈ જાય નહિ તેમ અગ્નિવેગ સમ્યગુદર્શન સહિત પરિણામવાળો કરી હોવાથી દેવલોકનાં કે વિદ્યાધરનાં સુખ તેને લોભાવી શક્યાં નહિ. આ અગ્નિવેગ યુવાનવયે રે તો પરમપદને સાધવા સર્વસંગપરિત્યાગ કરીને ગુરુના ચરણે સમર્પિત થઈ ગયો. છે એક વખત જંગલમાં સરોવર-પાળે એકાંતવાસમાં ધ્યાનયોગની સાધનામાં બાળયોગી લીન છે. ત્યાં અચાનક એક મોટો અજગર આવી ચડ્યો, અને ધ્યાનમગ્ન મુનિને એ જ દિશામાં આખા ને આખા ઉદરમાં પધરાવી ગયો. અજગરે પ્રકૃતિગત તેનું કાર્ય કર્યું, અને મુનિરાજે પોતાના નિધર્મને યોગ્ય પોતાનું કાર્ય સાધી સાધિકરણને સાધ્ય કર્યું. સમ્યગદર્શનની ફળશ્રુતિનું આ અપૂર્વ પરિણામ હતું, કે ગમે તેવા કપરા સંયોગોમાં પણ છે. જ્ઞાનની અખંડ ધારાને ટકવા દે અને પરિણામમાં સ્થિર થવા દે. સમ્યગદર્શન Jain Education International For Private & Personal Use Only #m- YE એ એક કલt s ft www.jainelibrary.om SSSTts
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy