SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ 3 પ્રભુએ શાંતિથી જવાબ આપ્યો કે “તું ગોશાળક છે. શા માટે અસત્ય બોલે છે ?” છે. ૩ આથી ગોશાળક અત્યંત ક્રોધે ભરાયો, અને ભગવાનને અપશબ્દ બોલવા લાગ્યો, ત્યારે = એક શિષ્ય ગોશાળકને કહેવા લાગ્યો કે “ભાઈ, તું જ ગોશાળક છે. ભગવાને તને વિદ્યા ! 3 આપી છે. પછી શા માટે અસત્ય બોલે છે.” આ શબ્દો સાંભળતા જ તેણે દૃષ્ટિવિષ સર્પની છે ૩ જેમ તે મુનિ પર તેજોલેશ્યા મૂકી, તે મુનિ તરત જ તેજોલેશ્યાથી દગ્ધ થઈ સમાધિમરણ છે. પામ્યા. બીજા શિષ્ય પણ તેને સમજાવ્યો ત્યારે તે શિષ્યની પણ એ જ દશા થઈ. રે 3 ભગવાને તેને સમજાવવા પ્રયત્ન કર્યો, ગોશાળક, તું આ વિદ્યા મારી પાસેથી જ ૩ શીખ્યો છે. હવે શા માટે તેનો દુરુપયોગ કરે છે ! આથી કોષે ભરાયેલા ગોશાળકે પર = ભગવાન પર તેજોલેશ્યા મૂકી, તે તેજોવેશ્યા પ્રભુની પ્રદક્ષિણા કરી પાછી ફરી. 5 તેજોલેશ્યાની અસર પ્રભુના શરીરને બાળી ન શકી પણ કંઈક અશાતા આપતી ગઈ. છે 3 પાછી ફરેલી તે તેજોલેશ્યા છેવટે ગોશાળકના જ શરીરમાં પ્રવેશ પામી. છતાં તેણે એ વિચાર્યું કે હમણાં ભલે આ કાશ્યપ બચી ગયો, પણ ફરીથી તેજોલેશ્યા મૂકીશ ત્યારે 2 બચી શકશે નહિ. રે પરંતુ ગોશાળકના શરીરમાં પ્રવેશ કરેલી તેજોલેશ્યાએ તેનો પ્રકોપ બતાવી દીધો. તે શરીરે ભયંકર દાહથી પીડાવા લાગ્યો. અને પીડાની બૂમો મારતો પાછો ફર્યો. 2. પ્રભુએ શિષ્યોને કહ્યું કે “તેજોલેશ્યા પાછી ફરીને તેના શરીરમાં સમાઈ ગઈ ન હોત, રે ને ફરતી રહી હોત તો તે સોળ પ્રદેશને બાળીને ભસ્મીભૂત કરવાને શક્તિમાન હતી.” 3. પોતાની જ તેજોલેશ્યાથી પીડાતો ગોશાળક દાહને સમાવવા મદ્ય પીવા લાગ્યો. એથી 2. મદોન્મત્ત થઈને નાચવા લાગ્યો. ભાન ભૂલેલો તે શરીરે માટી ચોળવા લાગ્યો. ખાળનું જળ છે રે પીવા લાગ્યો. અને અસંબદ્ધ વચનો બોલવા લાગ્યો. આથી તેના શિષ્યો ઉદ્વેગ પામી ગયા. - પરંતુ તેમને પોતાના ગુરુ પ્રત્યે સદ્ભાવ હતો, તેથી તે ભોળા લોકો એમ માનવા લાગ્યા કે આ આપણા ગુરુનો આ નિર્વાણકાળ છે તેથી આ નિર્વાણનાં ચિહ્નો છે. ગોશાળક જ્યારે કંઈક સાવધાન થયો ત્યારે તે માનેલા શિષ્યોને કહેવા લાગ્યો કે - “હું નિર્વાણ પામવાનો છું. મારો મોક્ષ થવાનો છે. માટે મારા મૃત શરીરને શણગારજો. 3 હજારો માનવોથી મારી અંતિમયાત્રા કાઢજો. અને ઘોષણા કરજો કે આ ગોશાળક આ છે કાળનો તીર્થકર છે, તે મોક્ષ પામેલ છે.” STRotar Aત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy