SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નંદિવર્ધન કહે, “ભાઈ, તું રાજશાસન હાથમાં લઈને તેમાં સુધારો કર. માનવને િસ્વતંત્ર કર.” જો “મોટાભાઈ, સંસાર એ તો ટોળાશાહીના સંસ્કારવાળો છે અને તેને બંધન સદી છે જ ગયું છે. હું બંધનના મૂળને છેદીને જગતમાં સ્વતંત્રતાનું સાચું રહસ્ય પ્રગટ કરીશ. તે છે માટે પ્રથમ મારે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે.” ની “વર્ધમાન ! તમે જો સંસારત્યાગ કરો તો લોકો કહેશે કે મોટાભાઈએ નાનાભાઈને કાઢી મૂકયો. અને તમે સાધુવેશે જાવ ત્યારે તો થઈ જ રહ્યું, લોકો કહેશે નંદિવર્ધનને તે એક વસ્ત્ર પણ આપવા મળ્યું નહિ. વળી તમે તો દયાભાવવાળા છો. મારા પર જ છે આ નિર્દયતાનો પ્રથમ ઘા કેમ કરો છો ? માતાપિતાના અવસાન પછી, હજી મને કંઈ પણ # શાતા પહોંચે તે પહેલાં તમે મને વધુ દુઃખ પહોંચાડવા માગો છો, માટે હાલ આ ત્યાગ શકય અને હિતાવહ નથી.” . “મોટાભાઈ ! મને ક્ષમા કરો. હું હવે આવા રાજશાસનમાં રહી શકું તેમ નથી.” અ. નંદિવર્ધનની આંખો અશ્રુ વડે ઊભરાઈ છતાં તેમણે જાણ્યું કે હવે આ વર્ધમાન છે . રાજ્યમાં રહી શકે તેમ નથી, તેવું હાલનો વેશ અને ભાવ સૂચવે છે કે તે રાજમહેલમાં છે ન રહે કે ન રહે, સર્વ સમાન છે માટે અવરોધ કરવો હિતાવહ નથી. હું છેવટે નંદિવર્ધને મૌન છોડ્યું, “વર્ધમાન ! ભલે તમે સંસારનો ત્યાગ કરો, પણ છે - મને સાંત્વન મળે તે માટે બે વર્ષ રોકાઈ જાવ.” આ “ભલે.” જ પ્રભુએ હવે સંસારત્યાગનો નિર્ધાર કરી લીધો હતો. ત્યાં વળી દેવોના આચારો મુજબ એક વરસ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે, હે િપ્રભુ! આપ જય પામો, કલ્યાણવંત આપનું કલ્યાણ થાઓ, આપ બોધ પામો, અને જગતનો ઉદ્ધાર કરો. આમ કહીને પ્રભુના જન્મસમયની જેમ વળી દેવોએ ચારે બાજુથી - દાટેલા મહાનિધિ વડે ખજાનો ભરી દીધો. એ સર્વ પદાર્થો અનિત્ય છે તે પ્રભુ તો જાણતા હતા, તેથી નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે જેને જે વાંછિત હોય તે લઈ જાય છે છે અને પ્રભુ રોજે અસંખ્ય સોનૈયા અને વસ્તુનું દાન કરતા. એક વર્ષ સુધી આ પ્રમાણે - દાન કરીને પ્રભુએ નંદિવર્ધન પાસે દીક્ષા અંગીકારની અનુજ્ઞા માગી. in Education International For Private & Personal Use Only www.jainelibrary.org sakashssassis
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy