SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ “હે દેવી ! માટે સમજો કે ગયો સમય આવવાનો નથી. આ ભોગસુખ ક્ષણિક છે. આ જગતના જીવોની જેમ તમે અને હું પણ આ સંસારમાં જકડાયેલાં રહીશું તો શું થશે ?” પર યશોદા જ્ઞાની નથી પણ સમજદાર છે, જ્ઞાની નથી પણ જ્ઞાનીની સહયોગિની છે. જે તેનામાં પણ જીવનને સમજવાનું ખમીર છે, પતિપરાયણ છે, દરેક ક્ષણે તેનું ધ્યાન રે પતિની ચર્યા સાથે જોડાયેલું છે. તે પતિની બધી વાતો સમજી શકતી નથી પણ પતિની પર ઉદાસીનતાનો તેને ખ્યાલ છે. પૂરી રાત્રિ જાગતા એવા પતિને સૂવા માટે સમજાવે છે. જે - વર્ધમાન હાસ્યથી જવાબ ટાળે છે. છે ત્યારે યશોદાનાં ચક્ષુમાં અશ્રુબિંદુ ટપકી પડે છે, “સ્વામી ! શું તમે મારો ત્યાગ S કરશો? ભલે સંસારનો ત્યાગ કરવામાં કે મારો ત્યાગ કરવામાં તમને સુખ મળે તો તે છે તેમાં મારાં અહોભાગ્ય માનીશ અને તમારે માર્ગે ચાલવા માટે ભાવના રાખીશ. તમને શ્રેષ્ઠ છે જેમાં સુખ મળે તેને અનુસરવું તે સતીત્વનું કાર્ય છે.” વર્ધમાન કંઈ કઠોર ન હતા. જગતના જીવોનું સુખ ઇચ્છનાર, માતાપિતાના છે સુખમાં સુખ જોનાર, પત્નીને દુઃખી કેમ કરે ! પરંતુ પૂર્વે કરેલી આરાધનાનું વૈરાગ્યબળ છે જ પ્રગટ થયું હતું, તેથી પોતાની જાતને સંસારમાં રોકી શકતા નથી. તેમનાથી મમત્વના છે. તાંતણે બંધાઈ શકાતું નથી. (સ. “યશોદા ! જગતમાં સૌ મોહવશ અન્યોન્ય કહે છે, અમે તમારાં છીએ, તમે છે છે અમારા છો, પણ કોણ કોનું થઈ શક્યું છે ? વિષય-સુખથી કોઈનું ભલું થયું નથી. આ માટે વિષયોનો પરિહાર, મમત્વનો ત્યાગ કરવો જરૂરી છે. જે સંસારમાંથી સુખબુદ્ધિને છે િત્યાગે છે તે ખરો મહામાનવ છે.” છે યશોદા સ્વામીની મહાનતાને કળી જાય છે, તેમની સાથે ચાલવા પ્રયત્ન કરે છે. તે વિ પતિને શરીરચેષ્ટાથી મોહિત કરવાનો પ્રયત્ન તેણે છોડી દીધો છે, વર્ધમાને રાજવૈભવનો જિ ત્યાગ કર્યો છે, પછી યશોદા તે રાજવૈભવમાં કેમ ઝૂકે, તે પણ ત્યાગમાર્ગે ચાલી રહી છે. હું - વર્ધમાન જીવોના સ્નેહથી પરિચિત છે, પણ તેમાં તેમને બંધન જણાયું છે. તે . યશોદાનું દુઃખ જાણે છે, જગતમાં પતિ વગરની પત્નીના વિરહને જાણે છે. પણ તેમનું છે અંતરંગ હવે મારા-તારાના ભેદથી કે દેહભાવથી ઊઠી ગયું છે. તેમણે કાળને અકાળ Sિ કરવો છે, તેમણે મૃત્યુને મારવું છે. X in Education International For Private & Personal Use Only www.jainelibrary.org wao MA'AM AVAMA
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy