SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ શ્રાવિકા શ્રી સુનંદાબહેન | બાહ્ય પ્રસિદ્ધિમાં ન આવનાર વ્યક્તિના પરિચયમાં આવીએ ત્યારે આપણે તેમના આતરિક ગુણોને સ્પર્શીને પ્રભાવિત થઈએ છીએ. આયંબિલખાતામાં જયારે હું સ્ત્રી હતો ત્યારે જોતો કે સુનંદાબહેન શા.તિથી અને ગંભીરપણે આયંબિલ કરવા આવતા. ત્યાર પછી તેમણે અમેરીકાના આનંદસુમંગલ પરિવારના સહયોગથી સંસ્થાને સાડા ત્રણ લાખનું યોગદાન આપ્યું ત્યારે મારા પુણ્યોદયે મને તેમનો નિકટનો પરિચય થયો. સફેદ વસ્ત્રમાં શોભતા, સદા પ્રસન્નચિત્તા બહેનમાં મને પ્રતિભાસંપન્ન વિભૂતિના દર્શન થયા. જેમ જેમ હું તેમની નજીકના પરિચયમાં આવ્યો તેમ તેમ તેમના બાહ્ય અત્યંતર ગણો મને નીરખવા મળ્યા. સુશ્રાવિકાના જીવનને યોગ્ય શાસ્ત્રોકત બાહ્ય આવશ્યક ક્રિયાઓમાં અપ્રમત્તપણું, અને અંતરંગ અવસ્થામાં ક્ષમા, ઉદારતા, સંયમ, સમતા જેવા ગુણોનું ગુંજન જણાય. તેમની શાન ધ્યાન અને ત્યાગાદિની દશા તો કોઈ ઝવેરી જ પારખી શકે. તેમાં મારુ પણ. ગજુ નહિ છતાં તેમણે મને આ કાર્ય માટે યોગ્ય માન્યો તે મારું સદ્ભાગ્ય છે. - તેમના જીવનના કૌટુમ્બિક સામાજિક અને ધાર્મિક પ્રસંગો સાંભળું ત્યારે મને નેક નામદાર હરકુંવર શેઠાણી યાદ આવે. તેમણે સ્થાવર તીર્થની સ્થાપના કરી અને બહેન જંગમતીર્થ જેવા છે તેવું સામ્ય લાગે. | મારી અમેરીકાની પ્રથમ સત્સગયાત્રાના પ્રણેતા તેઓ છે. તેઓ મને ધર્મપુત્ર માની વાત્સલ્યભાવે ધાર્મિક ચર્ચા દ્વારા ભાથું આપે. તેઓ ધર્મના વ્યવહાર અને નિશ્ચય બંનેને રથના પૈડાની જેમ ધારણ કરીને પરમાર્થ પંથની કેડીએ ચાલી રહ્યા છે. આ પંથ એમનો પ્રાણ છે. તેનો અનુભવ તેમની કાર અકસ્માતની ગંભીર બિમારીમાં તેમના સમતા અને પ્રસન્નતાથી મેં નજરે નિહાળ્યો. ક નિવાસે, દેશ અને વિદેશોમાં તેમને આચાર્યશ્રીની નિશ્રામાં અનુભવેલા તત્વજ્ઞાનનું સૌને પ્રદાન કર્યું છે, અને જિજ્ઞાસુઓને પરમાર્થ પંથના પ્રેમી બનાવવામાં તેમનો અભૂત અને આત્મિય ફાળો છે. મારા તો ધર્મમાતા અને પ્રેરણાદાયીની છે. તેમની શાસન પ્રભાવનાને પુનઃ પ્રણમું છું. તેઓ દીર્ધાયુષી રહે, મને અને સૌને પૂ. બહેનનો તાત્વિક બોધ મળતો રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. ધર્મતત્વચિંતક નૌતમભાઈ વકીલ | અમદાવાદ. Jain Education internauonal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy